'ગુજ.ની જનતા વિકાસ જાણે છે, રાહુલ તમે અમેઠીમાં શું કર્યું?'
મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમેઠી, ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. અમેઠી કોંગ્રેસનો ગઢ મનાય છે, અહીં રેલીને સંબોધતાં અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.
મંગળવારે બપોરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તર પ્રદેશના અમેઠી પહોંચ્યા હતા. અમિત શાહ ઉપરાંત કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય પણ અહીં હાજર હતા. અમિત શાહે અંહી જનમેદનીને સંબોધતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અમેઠીમાં કહ્યું કે, વર્ષ 2019માં અમે પૂછ્યા વિના અમેઠીને વિકાસ આપીશું. અહીં મોદીજીએ વિકાસ કરવો પડે છે, કારણે કે અમેઠીમાં સત્તામાં એવા રાહુલ બાબા તો ગુજરાતમાં છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં હાલ ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સોમવારે પોતાની યાત્રાના પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ પણ અમિત શાહના પુત્ર જય શાહનું નામ લઇને ભાજપ તથા પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે મંગળવારે અમિત શાહે કોંગ્રેસના ગઢ અમેઠીથી રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે આગળ કહ્યું કે, ગુજરાતની જનતા વિકાસ જાણે છે. રાહુલ બાબા, તમે એ કહો કે તમે અમેઠીમાં શું કર્યું? અમેઠીમાં ત્રણ પેઢીથી રાહુલ ગાંધીના પરિવારનું રાજ છે અને આમ છતાં અમેઠીનો વિકાસ થયો નથી. તો તેઓ કયા મોઢે મોદી સરકારના ત્રણ વર્ષનો હિસાબ માંગે છે. ગુજરાતના દરેક ગામમા વીજળી છે, દરેક ઘરમાં પાણી છે. હવે યુપીને પણ ગુજરાત બનાવીશું, મોદી-યોગીની જોડી વિકાસની જોડી છે. 2019ની ચૂંટણીમાં હિસાબ આપીને મત માંગીશું.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા





Click it and Unblock the Notifications
