પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે, મમતા બેનર્જી જે પણ કરે, CAA... : અમિત શાહ
CAA Update: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે CAA (નાગરિકતા સુધારા કાનુન) અંગે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, કોઇ કંઇપણ કરી લે, સીએએ કોઇપણ સંજોગોમાં પરત લેવામાં આવશે નહીં. આ સાથે અમિત શાહે જણાવ્યું હતું કે, આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવો એ સાર્વભૌમ અધિકાર છે, જેમાં અમે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે.
મમતાને ચેતવણી આપી - ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ CAA નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, તે દિવસ દૂર નથી, જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરશે.

અમિત શાહે આ સંદેશ આપ્યો - અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, જો મમતા આ મુદ્દા પર રાજનીતિ કરે છે અને રાષ્ટ્રીય સુરક્ષાના આટલા મહત્વના મુદ્દાની સામે ઉભી રહે છે તો તે ઘણું ખોટું છે. મમતા બેનર્જી તુષ્ટિકરણની રાજનીતિ કરીને ઘૂસણખોરીને મંજૂરી આપે છે, અને CAAનો વિરોધ કરે છે. અમિત શાહે જણાવ્યું હતું કે, જો શરણાર્થીઓને નાગરિકતા નહીં મળે, તો તેઓ તેમની સાથે નહીં રહે. મમતા બેનર્જી શરણાર્થી અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત નથી જાણતા.
CAA રદ કરવું અશક્ય છે - અમિત શાહે જણાવ્યું હતું કે, CAA મોદી સરકાર લાવી છે, અને તેને રદ્દ કરવું અશક્ય છે. તેમણે વિપક્ષી નેતાઓ પર તુષ્ટિકરણની રાજનીતિમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે વિપક્ષ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, શું તેમને તેનો અમલ કરવાનો ઇનકાર કરવાનો અધિકાર છે?
તેઓ એ પણ સમજે છે કે, તેમની પાસે અધિકાર નથી. આપણા બંધારણમાં નાગરિકતા અંગે કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદને જ આપવામાં આવ્યો છે. આ કેન્દ્રીય વિષય છે, રાજ્યનો વિષય નથી.
વિપક્ષે ટીકા કરી - ઉલ્લેખનીય છે કે, કેન્દ્રએ આ સપ્તાહની શરૂઆતમાં CAAના અમલીકરણ માટેના નિયમોની સૂચના આપી હતી. આ બિલ ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર દ્વારા CAA અમલીકરણ માટેના નિયમોની સૂચના આપ્યા પછી, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કાયદાની ટીકા કરી અને જણાવ્યું હતું કે, તેઓ તેમના રાજ્યોમાં તેનો અમલ કરશે નહીં. કોંગ્રેસે CAAના અમલીકરણના સમયને લઈને કેન્દ્રની ટીકા કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા નિયમોને જાણી જોઈને સૂચિત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
