અમૃતસર હુમલામાં મોટો ખુલાસોઃ લાહોરમાં બેસીને રચાયુ હતુ સમગ્ર ષડયંત્ર
રવિવારે થયેલા અમૃતસર ગ્રેનેડ હુમલાની તપાસથી સામે આવ્યુ છે કે આનુ ષડયંત્ર લાહોરમાં રચવામાં આવ્યુ હતુ જેમાં જર્મની અને કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોની પણ મોટી ભૂમિકા રહી છે.
રવિવારે થયેલા અમૃતસર ગ્રેનેડ હુમલાની તપાસથી સામે આવ્યુ છે કે આનુ ષડયંત્ર લાહોરમાં રચવામાં આવ્યુ હતુ જેમાં જર્મની અને કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોની પણ મોટી ભૂમિકા રહી છે. તેમણે જ અમૃતસરમાં ગ્રેનેડ હુમલાનો પ્લાન તૈયાર કર્યો હતો. દિલ્લી પોલિસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરતે આ વાત જણાવી છે. અધિકારીનું કહેવુ છે કે આ હુમલો પંજાબમાં ફરીથી આતંકવાદના મૂળ જમાવવાની કોશિશ છે પરંતુ તે આમાં સફળ નહિ થઈ શકે.

ગ્રેનેડ હુમલો સીધી રીતે પાકિસ્તાન સાથે જોડાયલ
અમુક અધિકારીઓ મુજબ એક સ્થાનિક મોડ્યુલ ઈસ્લામિક નેટવર્ક સાથે હુમલા માટે ઉપયોગ કરવામાં આવ્યુ હતુ અને તેનો હથિયારોની લેવડ-દેવડ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. હુમલાની પ્રારંભિક તપાસમાં પણ એ વાત સામે આવી હતી કે જે ગ્રેનેડ આ હુમલામાં ઉપયોગમાં લેવાયા હતા તે પાકિસ્તાની હથિયારની ફેક્ટરીમાં બનતા ગ્રેનેડ જેવા છે, તેના પર પાકિસ્તાની હસ્તાક્ષર મળ્યા છે.

લાહોરમાં રચવામાં આવ્યુ હતુ ષડયંત્ર
અમૃતસર ગ્રેનેડ હુમલા બાજ એનએસએ અજિત ડોભાલે જાણકારી લીધી અને એક હાઈ લેવલ મીટિંગ બોલાવવામાં આવી. તપાસના આધારે એ જાણવા મળ્યુ છે કે નિરંકારી ભવન બ્લાસ્ટના તાર સીધેસીધા પાકના આઈએસઆઈ સાથે જોડાયેલા છે. સૂત્રો મુજબ એનએસએ અજિત ડોભાલ સાથે આ મીટિંગમાં હોમ સેક્રેટરી રાજીવ ગૌબા, ડીજીપી સુરેશ અરોડા અને ઘણા મોટા અધિકારી શામેલ હતા. જો કે પહેલા ઈનપુટ હતુ કે જૈશના આતંકી આગામી ચૂંટણી પહેલા દેશમાં કોઈ મોટો હુમલો કરાવી શકે છે.

ખાલિસ્તાની સમર્થકોની મોટી ભૂમિકા
સ્થાનિક પોલિસ સાથે તપાસ એજન્સીઓ હુમલા પાછળની કડીઓ જોડવામાં લાગેલી છે અને શંકા છે કે જાકિર મૂસાનો હાથ પણ આમાં હોઈ શકે છે જેણે 2010થી 2013 સુધી મોહાલીમાં અભ્યાસ કર્યો હતો. અમુક અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્ફોટની યોજના ખાલિસ્તાની સમર્થકોની મદદથી બનાવવામાં આવી હતી, જેમણે સ્થાનિક લોકોને હુમલો કરવા અને ફંડ કરવાનું કામ કર્યુ. જ્યારે હુમલા માટે ગ્રેનેડની વ્યવસ્થા મુસા અથવા સીમા પારના જૈશના નેટવર્ક દ્વારા કરવામાં આવી.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
