Amritsar Blast: અમૃતસર બ્લાસ્ટ કેસનો પર્દાફાશ, 5ની ધરપકડ
Amritsar Blast: પંજાબના અમૃતસરમાં કથિત રીતે બ્લાસ્ટનું કાવતરું ઘડનારા 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ વિસ્ફોટોનો હેતુ શાંતિને ભંગ કરવાનો હતો. ફટાકડામાં વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પંજાબ પોલીસના ડીજીપીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમૃતસરમાં ઓછી તીવ્રતાના બ્લાસ્ટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે.

ડીજીપીએ કહ્યુ કે મુખ્યમંત્રી ભગવંત માનની સૂચના પર પંજાબ પોલીસ કોઈ પણ કિંમતે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે મોડી રાત્રે 12.30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જે બાદ પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
જો કે આ બ્લાસ્ટમાં કોઈને ઈજા થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં નજીકના એક રૂમમાં બે પુરુષ અને એક મહિલા રહેતા હતા, જેમની પોલીસે પૂછપરછ કરી છે. પોલીસે ત્રણેયની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે અમૃતસરના સુવર્ણ મંદિર પાસે બ્લાસ્ટ બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ દેખાય છે. સૂત્રોનુ કહેવુ છે કે આ બ્લાસ્ટમાં પોટેશિયમ ક્લોરેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તે વિસ્ફોટ થયો હતો.
અગાઉ પત્રકારો સાથે વાત કરતા પોલીસે જણાવ્યુ હતુ કે 12.15થી 12.30ની વચ્ચે વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો હતો. આ બીજો બ્લાસ્ટ હોવાની શક્યતા છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. અમુક ટુકડાઓ અમને બિલ્ડીંગની પાછળ મળ્યા છે. અંધારાના કારણે અમે હજુ સુધી પુષ્ટિ માહિતી મેળવી શક્યા નથી.
#WATCH | Amritsar: Visuals from outside the building of Shri Guru Ramdas Ji Niwas from where suspects were rounded up in the aftermath of a loud sound, that was heard near the Golden Temple, which, as per the police, could be another explosion.#Punjab pic.twitter.com/CXzms3FdYw
— ANI (@ANI) May 10, 2023
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
