આંધ્ર પ્રદેશઃ નદીમાં જળસ્તર વધવાથી તૂટ્યો બંધ, અચાનક આવેલા પૂરથી 3ના મોત, ઘણા લોકો ગુમ
આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં શુક્રવારે અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનો મોત થઈ ગયા અને ઘણા લોકો ગુમ છે.
કડપ્પાઃ આંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં શુક્રવારે અચાનક આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનો મોત થઈ ગયા અને 30 લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ ચેયેરુ નદી ઓવરફ્લો થવાના કારણે બંધ તૂટી જવાથી ઘણા ગામોમાં અચાનક પૂર આવી ગયુ. પાણીના વધતા જળ સ્તરના કારણે નંદલૂરમાં સ્વામી આનંદ મંદિર પણ જળમગ્ન થઈ ગયુ છે. આ દરમિયાન કારતક પૂર્ણિમાના અવસર પર શિવ મંદિરમાં પૂજા કરી રહેલા અમુક શ્રદ્ધાળુઓ પણ અચાનક આવેલા પૂરમાં ફસાઈ ગયા.

તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ઓછા દબાણનુ ક્ષેત્ર બનવાના કારણે આંધ્ર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે. નદીઓ ઉફાન પર છે જેના કારણે ચિત્તૂર અને કડપ્પામાં છેલ્લા ઘણા વર્ષોમાં અચાનક ભયાનક પૂર આવી ગયુ. ભારે વરસાદના કારણે કડપ્પાની નાની નદી ચેયેરુમાં અચાનક પૂર આવવાતી તટ પર વસેલા અમુક ગામોમાં પાણી ભરાઈ ગયુ. પાણીના તેજ વહાણમાં ફસાયેલા અમુક લોકોને બહાર કાઢવાનુ કામ ચાલુ છે. વળી, રાજનપેટમાં અમુક લોકો તેજ વહાણમાં વહી ગયા.
મીડિયા રિપોર્ટ મુજબ નંદલુરુ પાસે ત્રણ શબ મળી આવ્યા છે જ્યારે અન્ય લોકોની શોધ ચાલુ છે. ઘટના બાદથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ બચાવ તેમજ રાહત કાર્યમાં લાગી છે. વળી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જિલ્લાધિકારીઓ સાથે એક વીડિયો કૉન્ફરન્સ પર વાત કરી અને રાહત તેમજ બચાવ ઉપાય કરવાના નિર્દેશ આપ્યા. મુખ્યમંત્રી પૂર અને વરસાદ પ્રભાવિત વિસ્તારો પર નજર રાખી રહ્યા છે અને પળે-પળની માહિતી લઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
