Andhra Train Accident: અલમાંડા-કંટાકાપલ્લે ખંડ પર રેલ વ્યવહાર ઠપ્પ, 12 ટ્રેનો રદ, અહીં જાણો કેટલા રુટ બદલાયા
Andhra Train Accident: આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટનાને કારણે અલમાંલડા-કંટાકાપલ્લે રેલવે સેક્શન પર ટ્રેનની અવરજવર ખોરવાઈ ગઈ છે. રેલવેએ અત્યાર સુધીમાં 12 ટ્રેનો રદ કરી છે. જ્યારે 21 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ વિશ્વજીત સાહુએ કહ્યું કે દૂર્ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
રેલવેએ સૌપ્રથમ ટ્રેન નંબર 08527 (R-VSKP) JCO: 30.10.2023 અને 08528 (VSKP-R) JCO: 30.10.2023 રદ કરવાની જાહેરાત કરી હતી. બાદમાં રદ કરાયેલી કુલ ટ્રેનોની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે.

ટ્રેનોની સ્થિતિ વિશે માહિતી આપતા ઈસ્ટ કોસ્ટ રેલવેના સીપીઆરઓ વિશ્વજીત સાહુએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં 12 ટ્રેનો રદ કરવામાં આવી છે. 15 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે અને 7 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. અમે મુસાફરો માટે બસની વ્યવસ્થા કરી છે જેથી તેઓ વિસ્તારમાં ફસાયેલા ન રહે. ટ્રેક આંશિક રીતે પુનઃપ્રાપ્ત થઈ ગયા છે. કરવામાં આવી છે. "
અલમાંડા-કંટાકાપલ્લે રેલવે સેક્શનમાં થયેલા અકસ્માતમાં 40 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 32ને વિજિયાનગરમ સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે 1ને વિશાખા એનઆરઆઈ હોસ્પિટલમાં, 2ને મેડીકવર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે 4ની હાલત નાજુક છે અને તેમને રીફર કરવામાં આવી રહ્યા છે. વિજિયાનગરમ જિલ્લા પ્રશાસને જણાવ્યું કે તમામ ઘાયલો આંધ્રપ્રદેશના રહેવાસી છે.
ઘટના બાદ SDRF, NDF અને અમારી ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સખત મહેનત કરી હતી. વોલ્ટેર ડિવિઝન રેલવે મેનેજર સૌરભ પ્રસાદે આ ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, "મધ્યમ લાઇનમાં અમારી પાસે બે પેસેન્જર ટ્રેનો હતી જે ચાલી રહી હતી. પાછળની ટ્રેન આવી અને સિગ્નલને ઓવરટેક કરી ગઈ, જેના પરિણામે અમારી પાસે ત્રણ સહિત લગભગ પાંચ કોચ હતા. ટ્રેનના આગળના કોચ અને પાછળના બે કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને આ કોચમાં મુસાફરો ફસાઈ ગયા હતા.
રદ કરાયેલી ટ્રેનોની યાદી અહીં જુઓ
Bulletin1:
— Ministry of Railways (@RailMinIndia) October 29, 2023
Status of Trains Diverted/Cancelled/Short Terminated in the wake of train accident near Kantakapalle. pic.twitter.com/dRlIEyGs4L












Click it and Unblock the Notifications
