For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પદેથી આપ્યુ રાજીનામુ, જાણો શું છે કારણ

અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધુ છે. અનિલ અંબાણીએ અચાનકથી રાજીનામુ આપીને બધાને ચોંકાવી દીધા છે. અનિલ અંબાણીની જગ્યાએ રાહુલ સરીનને પાંચ વર્ષના કાર્યકાળ માટે સ્વતંત્ર નિર્દેશક તરીકે અધિક નિર્દેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે, આ નિયુક્તિ હજુ સામાન્ય બેઠકમાં સભ્યોની મંજૂરીને આધીન છે.

anil ambani

શું છે રાજીનામાનુ કારણ?

માનવામાં આવી રહ્યુ છે કે માર્કેટ રેગ્યુલેટર સેબીના આદેશ બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને કોઈ પણ સૂચિબદ્ધ કંપની સાથે જોડવાથી રોકી દીધા હતા. રિલાયન્સ પાવરે BSE ફાઈલિંગમાં કહ્યુ છે, 'અનિલ અંબાણી, બિન કાર્યકારી નિર્દેશક, સેબી(ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ)ના અંતરિમ આદેશના અનુપાલનમાં રિલાયન્સ પાવરના બોર્ડમાંથી હટી ગયા છે.' વળી, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે કહ્યુ કે અનિલ અંબાણીએ સેબીના અંતરિમ આદેશના અનુપાલનમાં પોતાના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધુ છે.

શેર બજારને આપવામાં આવી આ માહિતી

અનિલ અંબાણીના રાજીનામાને લઈને રિલાયન્સ પાવર તરફથી શેર બજારને જણાવવામાં આવ્યુ છે કે સેબીના અંતરિમ આદેશ બાદ અનિલ અંબાણી કંપનીના ડાયરેક્ટર પદેથી હટી ગયા છે. આ રીતે રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પણ શેર બજારને જણાવ્યુ કે અનિલ અંબાણીએ સેબીના અંતરિમ આદેશના અનુપાલનમાં કંપનીના નિર્દેશક મંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે.

English summary
Anil Ambani Resigns from Reliance Power and Reliance Infrastructure Director post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X