'ગાંધીજી અને નેતાજી વચ્ચે એક મુશ્કેલ સંબંધ હતો', જાણો કંગનાના નિવેદન પર શું બોલ્યા સુભાષચંદ્ર બોઝની દીકરી
કંગનાના નિવેદન પર સુભાષચંદ્ર બોઝની દીકરી અનિતા બોઝની પ્રતિક્રિયા આવી છે.
નવી દિલ્લીઃ કંગના રનોતના મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ વિશે આપેલા નિવેદનના કારણે નવુ ઘમાસાણ શરૂ થઈ ગયુ છે. આ દરમિયાન કંગનાના નિવેદન પર સુભાષચંદ્ર બોઝની દીકરી અનિતા બોઝની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યુ કે મારા પિતાની પ્રવૃત્તિ ઘણી જટિલ હતી અને ગાંધીજીને લાગતુ હતુ કે તે નેતાજીને કંટ્રોલ કરી શકે છે પરંતુ તે એવુ નહોતા કરી શકતા. વળી, બીજી તરફ મારા પિતા(સુભાષચંદ્ર બોઝ) ગાંધીજીના બહુ મોટા પ્રશંસક હતા. અનિતા બોઝે કહ્યુ કે મારા પિતાની અંદર પોતાના કામ વિશે ગાંધીજીની પ્રતિક્રિયા માટે ઉત્સુકતા રહેતી હતી.

કંગનાના નિવેદન પર અનિતા બોઝની પ્રતિક્રિયા
ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ કંગના રનોતની એ ટિપ્પણી પર અનિતા બોઝની પ્રતિક્રિયા લેવામાં આવી જેમાં તેણે કહ્યુ હતુ કે ગાંધીજી અને નહેરુ બંને નેતાજી સુભાષચંદ્ર બોઝને અંગ્રેજોને સોંપવા માટે તૈયાર હતા. કંગનાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપીને અનિતાએ કહ્યુ, 'એ વાત ફગાવી ન શકાય કે નેતાજી અને ગાંધીજી બંને આપણા હીરો રહ્યા છે, તેમના યોગદાનથી જ દેશને આઝાદી મળી હતી. એક વિના બીજુ સંભવ નહોતુ.'
ગાંધીજી અને નેતાજીના પ્રયાસોથી મળી આઝાદીઃ અનિતા બોઝ
અનિતા બોઝે આગળ કહ્યુ છે, 'કોંગ્રેસના અમુક સભ્યોને એ જરુર લાગતુ હતુ કે માત્ર અહિંસાની નીતિથી જ દેશને આઝાદી અપાવી નહિ શકાય. નેતાજી અને ઈન્ડિયન નેશનલ આર્મીનુ એ વખતે આઝાદીમાં મહત્વનુ યોગદાન હતુ. જો કે એ દાવો કરવો પણ ખોટો ગણાશે કે માત્ર નેતાજી અને તેમની આર્મીના કારણે દેશને આઝાદી મળી હતી. ગાંધીજી અને નેતાજીએ બધાને આઝાદી માટે પ્રેરિત કર્યા હતા.'
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
