અણ્ણા નવી ટીમની જાહેરાત કરે તેવી શક્યતા, રણનીતિનો ખુલાસો કરશે

anna-hazare-medis-speech
નવી દિલ્હી, 29 ઑક્ટોબર: પોતાના સહયોગી અને ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના નેતા અરવિંદ કેજરીવાલથી અલગ થયા બાદ અણ્ણા હઝારે આજે પોતાની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે. આટલું જ નહી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અણ્ણા હઝારે આજે પોતાની રણનીતિઓ અંગે પણ ખુલાસો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહ અને બોલીવૂડ સુપરસ્ટાર આમીર ખાન તેમની નવી ટીમમાં જોડાઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારેએ પોતાની ટીમના ભાગલા પાડી ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના અરવિંદ કેજરીવાલ સાથેનો નાતો તોડી નાખ્યો હતો.

અણ્ણા હઝારેની સાથે સાથે કિરણ બેદીએ પણ અરવિંદ કેજરીવાલ સાથે નાતો તોડી નાખ્યો હતો. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. અણ્ણા હઝારેએ પોતાની પાર્ટીની જાહેરાત કરતાં પહેલાં આમીર ખાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આમીર ખાન અત્યારે હજ યાત્રા પર છે અને તેમના પાછા ફર્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે તે અણ્ણાની ટીમમાં જોડાશે કે નહી. અત્રે ઉલ્લેખનીય છે કે આમીર ખાને વડાપ્રધાનને પત્ર લખીને ભષ્ટ્રાચાર વિરોધી મજબૂત સિસ્ટમ ઉભી કરવાની માંગણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે આમિર ખાને આ પહેલાં રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેને સમર્થન આપવાની કરી હતી. પોતાની ટીમને અંતિમ રૂપ આપવા માટે અણ્ણાએ કેટલાક પૂર્વ અધિકારીઓ, પૂર્વ સરકારી કર્મચારીઓ અને પૂર્વ સૈનિકો સાથે વાત કરી છે. કહેવામાં આવે છે કે અણ્ણા જાન્યુઆરીમાં પટનાથી ભષ્ટ્રાચાર વિરૂદ્ધ નવી ઝુંબેશ શરૂ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X