કેજરીવાલ પર લગાવેલા આરોપ ખોટા: અણ્ણા હઝારે
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલ પર તેમને મારવાના લાગેલા આરોપને બકવાસ ગણાવ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે જે લોકોએ આ અફવાહ ફેલાવી છે તેમની પાસે કોઇ પૂરાવા નથી. જોકે અણ્ણા હઝારેએ સ્વામી અગ્નિવેશનું નામ લીધા વગર જ આરોપોને રદિયો આપી દીધો હતો.
અણ્ણા બુધવારે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ચૂંટણી સભા કરશે. તેમણે કહ્યું કે લાગતું નથી કે સરકાર મજબૂત લોકપાલ બિલ લાવી શકશે. અણ્ણા હજારેએ એ પણ જણાવ્યું કે મને જીવ જવાની બીક નથી. જો સરકાર લોકપાલ બિલ નહી લાવી તો હું આવનાર સરકારના કાર્યકાળમાં પણ મજબૂત લોકપાલ માટે આમરણ અનશન કરીશ.
આ પહેલા અગ્નિવેશે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને લાગે છે કે અણ્ણાનું બલિદાન આંદોલન માટે યોગ્ય રહેશે. સ્વામી અગ્નિવેશે આ વાતનો દાવો એક ન્યૂઝ ચેનલને આપેલા એક ઇંટર્વ્યુમાં કર્યો. જોકે કેજરીવાલે અગ્નિવેશના આરોપોને પડકારી તેમને સવાલ કર્યો છે કે અગ્નિવેશ પાસે આરોપો સાબિત કરવા માટે પુરાવા છે?