ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.
આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
કોલકત્તા પુલ દુર્ધટના 24ના મોત, IVRCL કહ્યું અમારો વાંક નથી
ગુરુવારે ઉત્તરી કોલકત્તાના ગણેશ ટોકિઝ પાસે એક પુલ પડી જવાથી અત્યાર સુધી 24 લોકોની મોત થઇ ગઇ છે. ત્યારે આ બ્રિજ બનાવનાર આઇવીઆરસીએલ કંપનીએ આ પુરી દુર્ધટનામાં પોતાને સાફ સાબિત કરતા કહ્યું છે કે તેમણે તમામ સ્લેબ ભરવામાં સેમ મટીરિયલનો ઉપયોગ કર્યો છે. અને તેમની કોઇ બેદરકારીના કારણે આ ધટના નથી થઇ. શુક્રવારે એક પ્રેસ કોન્ફર્ન્સમાં આ કંપનીના લિગલ અધિકારીઓએ કહ્યું કે આ દુર્ધટનાથી અમે પોતે પણ આશ્ચર્યમાં છીએ. અને લોકોની મોત માટે ખેદ અનુભવીએ છીએ.
બેંગલુરુ પેપર લીક મામલે ABVP કાર્યકર્તાઓની પોલિસે કરી ધરપકડ
બેંગલુરુમાં કાલે કેમેસ્ટ્રીનું પેપર લીક થયું. જેના પગલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન (એબીવીપી)એ રસ્તા પર ઉતરીને આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. જે બાદ પોલિસે તમામ પ્રદર્શનકારીઓને પોલિસ હિરાસતમાં લીધા છે. નોંધનીય છે કે પેપર લીક થતા ગઇ કાલે પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ આ વાત અંગે રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે આ પેપર લીક થવાથી બીજી વાર આ પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે.
કોલકત્તા પુલ દુર્ધટના: ભાજપે કહ્યું સીબીઆઇ તપાસ કરે
કોલકત્તામાં નિર્માણધીન ફ્લાયઓવરના પડતા અત્યાર સુધીમાં 24 લોકોની મોતના ખબર છે. જે પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ સીબીઆઇ તપાસ કરવાની માંગ કરી છે. નકવીએ એક પ્રેસકોન્ફર્ન્સમાં કહ્યું કે જો સેના અને સુરક્ષાબળો સમય સર ના પહોંચતા તો કોલકત્તામાં આનાથી પણ વધુ લોકોની પ્રાણ ગયા હોત. વધુમાં તેમણે પુલ બનાવતી કંપની વિષે કહ્યું કે આ એક બ્લેક લિસ્ટેડ કંપની છે. તો તેને પુલ બનાવવાની અનુમતિ કેવી રીતે આપવામાં આવી? વધુમાં નકવીએ કહ્યું કે આ સાફ સાફ રીતે ભષ્ટ્રાચારનો મામલો છે અને આ અંગે યોગ્ય તપાસ સીબીઆઇ દ્વારા થવી જોઇએ.
બુદ્ધુ છે રાહુલ ગાંધી, તેમનું કોઇ ભવિષ્ય નથી: સ્વામી
ભાજપના નેતા સુબ્રહ્મણયમ સ્વામીએ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર નિશાનો લગાવતા કહ્યું કે રાહુલ ગાંધી બુદ્ધુ છે અને તેમનું કોઇ ભવિષ્ય નથી. નોંધનીય છે કે સ્વામીએ આવી ટિપ્પણી તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ લખી છે. આ આખો મામલો રાહુલ ગાંધીના બેવડી નાગરિકાતાના સ્વામીના આરોપના કારણે સર્જાયો હતો.
મેહબૂબા ચાર એપ્રિલે લેશે સીએમ બનવાના શપથ
પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીની અધ્યક્ષ મેહબૂબા મુફ્તી ચાર એપ્રિલે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બનવાની શપથ ગ્રહણ કરશે. નોંધનીય છે કે આ સાથે જ મેહબૂબા રાજ્યની 13મી અને પહેલી મહિલા મુખ્યમંત્રી બનશે. નોંધનીય છે કે તેમના પિતાની મૃત્યુ બાદ હવે મેહબૂબા આ પદ સંભાળશે.
શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓને રોકી તો થશે સજા: હાઇકોર્ટ
શનિ શિંગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઇને દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર સુનવણી કરતા બોમ્બે હાઇકોર્ટેની ડબલ બેન્ચે આજે નિર્ણય સંભળાવ્યો છે કે કોઇ પણ કાનૂન મહિલાઓને મંદિરમાં પૂજા કરવા માટે પ્રવેશ કરવાથી રોકી શકતો નથી. કોર્ટે વધુમાં કહ્યું કે જો મંદિર પ્રશાસન કે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ મંદિરમાં પ્રવેશ કરવાથી રોકશે તો મહારાષ્ટ્રના કાનૂન મુજબ તેને 6 મહિનાની જેલની સજા થશે.