22 એપ્રિલનો બદલો સેનાએ 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર લોકસભામાં બોલ્યા PM નરેન્દ્ર મોદી
Parliament Operation Sindoor Debate: PM નરેન્દ્ર મોદી લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન PM મોદીએ કહ્યું કે, આ ભારતની પ્રશંસા કરવાનું સત્ર છે. હું ભારતનો પક્ષ રજૂ કરવા માટે ઉભો છું. જે લોકો ભારતનો પક્ષ જોઈ શકતા નથી તેમને અરીસો બતાવવા માટે ઉભો છું. તેમણે કહ્યું કે, અમને ગર્વ છે કે 6 અને 7 મેની રાત્રે અમે આતંકવાદીઓને નક્કી કરેલો જવાબ આપ્યો. અમે હુમલો કર્યો અને પાકિસ્તાન કંઈ કરી શક્યું નહીં. અમે એવો યોગ્ય જવાબ આપ્યો કે આતંકવાદના આકા હજુ પણ જાગી રહ્યા છે. અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું 22 એપ્રિલના રોજ પહલગામમાં એક ક્રૂર ઘટના બની હતી. આતંકવાદી હુમલો ક્રૂરતાની ચરમસીમા હતી. નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી દેવામાં આવી હતી. મેં કહ્યું હતું કે અમે આતંકવાદીઓનો નાશ કરીશું. મેં કહ્યું હતું કે તેમને કલ્પના કરતાં પણ મોટી સજા મળશે.
#WATCH | Discussion on Operation Sindoor | PM Narendra Modi says, "...Our armed forces avenged 22nd April within 22 minutes with precision attacks."
— ANI (@ANI) July 29, 2025
"Right after Pahalgam terrorist attack, Pakistan Forces had this idea that India would indeed take a major action. They started… pic.twitter.com/6GcxPcS0As
22 એપ્રિલનો બદલો સેનાએ 22 મિનિટમાં લીધો
હું 22 એપ્રિલે વિદેશમાં હતો. જ્યારે હું પાછો ફર્યો, ત્યારે મેં એક બેઠક બોલાવી અને આતંકવાદના આકાઓને યોગ્ય જવાબ આપવા કહ્યું. મેં આતંકવાદીઓ અને તેમના આકાઓને કલ્પના બહાર સજા કરવાનો, આતંકવાદીઓનો નાશ કરવાનો મારો સંકલ્પ વ્યક્ત કર્યો. અમને સેનાની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. અમે સેનાને ખુલી છૂટ આપી હતી. આતંકવાદીઓના આકાઓએ પણ અનુમાન લગાવ્યું હતું કે ભારત કાર્યવાહી કરશે. ત્યાંથી પરમાણુ હુમલાની ધમકીઓના નિવેદનો પણ આવવા લાગ્યા હતા. અમે એવી જગ્યાએ પ્રવેશ કરીને પણ હુમલો કર્યો જ્યાં અમે પહેલાં ક્યારેય ગયા ન હતા. આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. અમે પાકિસ્તાનની પરમાણુ ધમકીઓને ખોટી સાબિત કરી. ભારતે સાબિત કર્યું કે પરમાણુ બ્લેકમેઇલ કામ કરશે નહીં. આજે પણ, પાકિસ્તાનના ઘણા એરબેઝ ICUમાં છે. ઓપરેશન સિંદૂર સફળ રહ્યું. છેલ્લા 10 વર્ષની તૈયારીઓને કારણે આ સફળતા મળી.
ત્રણેય સેનાના પાંખની કરી પ્રશંસા
આતંકના આકાઓએ વિચાર્યુ ન હતુ કે ભારત આવશે અને આવી રીતે મારીને જતુ રહેશે. ભારતની ત્રણેય સેનાએ મળીને પાકિસ્તાનના હોંશ ઉડાવ્યા હતા. દુનિયાના તમામ દેશોએ ભારતનું સમર્થન કર્યુ હતુ. અને પ્રશંસા કરી હતી. જો ભવિષ્યમાં ફરી કોઇ આવો આતંકી હુમલો થયો તો ભારત પોતાની રીતે જવાબ આપશે. કોઇપણ દેશે ભારતને કાર્યવાહી કરતા રોક્યુ નથી. સેનાએ જે લક્ષ્ય નક્કી કર્યુ હતુ. તે પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
