કાશ્મીરના અનંતનાગમાં સેનાનું એન્કાઉન્ટર, કર્નલ, મેજર અને ડીએસપી શહીદ
કાશ્મીરમાં આતંકવાદ ખતમ થયો હોવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવા વચ્ચે ફરી એક વખત સેનાના જવાનોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. કાશ્મીરના અનંતનાગમાં થયેલા એન્કાઉન્ટરમાં એક કર્નલ, મેજર અને ડીએસપી શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસ આતંકવાદને ખતમ કરવા ઓપરેશન ચલાવી રહી છે ત્યારે રાજૌરીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા બાદ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના અહેવાલ છે.

કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ ઘટનામાં સેના અને પોલીસમાં મોટી જાનહાનિના અહેવાલો આવી રહ્યા છે.
સમાચાર અનુસાર, અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. કર્નલ મનપ્રીત સિંહ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં તૈનાત હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના મેજર આશિષ અને ડીએસપી હુમાયુ ભટ્ટ શહીદ થયા છે.
ભારતીય સેનાના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ કે, કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કમાન્ડિંગ કર્નલ અને રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના એક મેજર અને ડીએસપી શહીદ થયા છે. કર્નલ મનપ્રીત સિંહ 19 આરઆર કમાન્ડ કરી રહ્યા હતા.
ભારતીય સેના તરફથી જણાવાયુ છે કે, કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કમાન્ડિંગ કર્નલ અને રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના એક મેજર શહીદ થયા છે. અધિકારી 19 આરઆર કમાન્ડ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીએ પણ એન્કાઉન્ટરમાં જીવ ગુમાવ્યો છે. બાતમીના આધારે આ વિસ્તારમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન બાદ એન્કાઉન્ટર શરૂ થયુ છે.
#WATCH | J&K | Encounter has begun in Kokernag area of Anantnag. Kashmir Zone Police says that officers from the Army and J&K Police have sustained injuries.
— ANI (@ANI) September 13, 2023
(Visuals deferred by unspecified time) https://t.co/7Hb0aOHJPt pic.twitter.com/gjZQO26Yrq
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ખોખલા જાવા વચ્ચે ભારતીય સેના અને પોલીસના જવાનો સતત પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ પહેલા 12 સપ્ટેમ્બરે રાજૌરીમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
J&K | Encounter begins in Kokernag area of Anantnag. Officers from the Army and J&K Police injured. Details awaited pic.twitter.com/hlOusfPlu7
— ANI (@ANI) September 13, 2023
અહેવાલો અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં 26 આતંકીઓ માર્યા ગયા છે. રાજૌરી-પૂંચ જિલ્લામાં સુરક્ષા દળોએ 26 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 10 સુરક્ષાકર્મીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
