Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રામ રહીમનું ગઢ સિરસામાં સેનાનો પ્રવેશ, 36 આશ્રમો સીલ

ગુરમીત રામ રહીમના હેડ ક્વાટર સિરસામાં સેનાએ કર્યો પ્રવેશ. સાથે જ તેમના 36 જેટલા આશ્રમોને પણ સીલ કરવામાં આવ્યા છે. તો હરિયાણાના સીએમને પણ દિલ્હી ઉચ્ચ સ્તરીય બેઠક માટે બોલવવામાં આવ્યા છે.

બળાત્કારના કેસમાં જેલની હવા ખાઇ રહેલા ગુરમીત રામ રહીમના મુખ્યલયમાં સેનાએ પ્રવેશ કર્યો છે. સેના અને પોલીસે સિરસામાં આવેલા ડેરાના મુખ્યાલયમાં પ્રવેશ કરી રામ રહીમના સમર્થકોને બહાર નીકાળ્યા છે. સુત્રોની જાણકારી મુજબ ડેરાના 1 હજારથી વધુ સમર્થકો હાલ આ મુખ્યાલયમાં છે. વધુમાં જિલ્લા પ્રશાસન અને પોલીસ ડેરાના 36 જેટલા આશ્રમોને અત્યાર સુધીમાં સીલ કરી ચૂકી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી લાલ ખટ્ટરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને હાલ ગૃહ મંત્રાલય સાથે તેમની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે.

army march

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પંચકુલામાં સીબીઆઇની વિશેષ કોર્ટે ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને બળાત્કારના કેસમાં દોષી જાહેર કર્યા હતા. અને હવે તેમને 28મી ઓગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવશે. જો કે આ ચુકાદા પછી પાંચ રાજ્યોમાં તેમના સર્મથકોને ભાંગફોડ કરતા આ રાજ્યોમાં ધારા 144 લગાવવામાં આવી હતી. અને મોડી રાતે સેનાએ ડેરા સચ્ચા સોદાના મુખ્યાલયને ધેરી લીધું હતું. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 32 લોકોની મોત થઇ ચૂકી છે. અને મોટી સંખ્યામાં જાનમાલનું નુક્શાન પણ થયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X