પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
પૂર્વ નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ જેટલીનુ નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. 12 વાગીને સાત મિનિટે તેમનુ નિધન થયુ.
પૂર્વ નાણામંત્રી અને રાજ્યસભા સાંસદ અરુણ જેટલીનુ એમ્સ હોસ્પિટલમાં શનિવારે નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 12 વાગીને સાત મિનિટે તેમનુ નિધન થયુ. ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એમ્સમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. શુક્રવારે તેમની હાલત વધુ ખરાબ થઈ હતી.

તબિયત લગભગ દોઢ વર્ષથી ખરાબ
જેટલીની તબિયત લગભગ દોઢ વર્ષથી ખરાબ છે. અરુણ જેટલીનું ગયા વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયુ હતુ. તે સમયે રેલવે મંત્રી પિયુષ ગોયલને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પિયુષ ગોયલે જ ત્યારે બજેટ રજૂ કર્યુ રહતુ. ખરાબ આરોગ્યના કારણે જ તેમણે પીએમ મોદીને પત્ર લઈને કેબિનેટમાં શામેલ ન કરવાની અપીલ કરી હતી.
|
9 ઓગસ્ટથી એમ્સમાં હતા ભરતી
અરુણ જેટલીના હાલ જાણવા માટે માત્ર સત્તા પક્ષના નેતા જ નહિ પરંતુ વિપક્ષી દળના તમામ નેતા પણ એમ્સ પહોંચ્યા હતા. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમ્સ જઈને જેટલીના ખબર પૂછ્યા હતા. જ્યારે બિહારના સીએમ નીતિશ કુમાર પણ જેટલીના ખબર પૂછવા એમ્સ પહોંચ્યા હતા. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ એમ્સ પહોંચીને ખબર પૂછ્યા હતા.

રાજ્યસભા સાંસદ હતા અરુણ જેટલી
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનુ આજે 67 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. તે છેલ્લા એક-દોઢ વર્ષથી સતત બિમાર હતા. 9 ઓગસ્ટના રોજ વધુ તબિયત ખરાબ થવા પર તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મોદી મંત્રીમંડળનો મહત્વનો ભાગ રહેલા જેટલીએ આ વખતે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપીને મંત્રીમંડળમાં શામેલ થવાનો ઈનકાર કર્યો હતો. આ પહેલા તે વાજપેયી સરકારમાં મંત્રી રહ્યા હતા. જેટલીની ઓળખ રાજનીતિ સાથે સાથે એક મોટા વકીલની પણ રહી. તે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ હતા. તેમના પરિવારમાં પત્ની સંગીતા જેટલી અને બે બાળકો રોહન અને સોનાલી છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
