Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જયપૂરથી લોકસભાની ચૂંટણી લડશે અરુણ જેટલી

arun jaitley
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી લોકસભા ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા છે. ડેલી મેલના સૂત્રોના હવાલાથી મળતા સમાચાર અનુસાર જેટલી જયપૂરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. જેટલી પણ પોતાના માટે આ બેઠકને સુરક્ષિત માને છે.

બ્રાહ્મણ હોવાના કારણે ગિરધારીલાલ ભાર્ગવ આ બેઠક પરથી છ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. 2009માં કોંગ્રેસના મહેશ જોશીએ આ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. તેઓ પણ બ્રાહ્મણ ફેક્ટરના કારણે જીત્યા હોવાનું મનાય છે.

જેટલીની ઓળખ જાણીતા વકીલની સાથે સાથે શાનદાર રાજનૈતિક અને વક્તાના રૂપમાં છે. તેઓ રાજ્યસભા માટે ત્રણવાર ચૂંટાઇ આવ્યા છે પરંતુ લોકસભાની ચૂંટણી તેમણે એક વખત પણ નથી લડી. 1974માં તેમણે પહેલીવાર દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી હતી. તેઓ જીતીને વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ પણ બન્યા હતા. 1975માં કટોકટી વખતે 19 મહિનાઓ સુધી તેઓ તિહાડ જેલમાં રહ્યા.

જેટલીના ફ્યૂચર પ્લાનને લઇને ઘણા સમયથી અટકળો લાગી રહી હતી. 2014ની ચૂંટણીમાં કોંગ્રેસને જોરદાર પડકાર આપવા માટે ભાજપાએ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવાનું મન બનાવી લીધું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X