Arun Valmiki case : 5 પોલીસકર્મી સસ્પેન્ડ, પીડિત પરિવારને 10 લાખ રૂપિયા વળતર
આગ્રાના જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર અરુણ વાલ્મીકીની કસ્ટડીમાં મોતના કેસમાં કાર્યવાહી શરૂ થઈ છે.
Arun Valmiki case : આગ્રાના જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં સફાઈ કામદાર અરુણ વાલ્મીકીની કસ્ટડીમાં મોતના કેસમાં કાર્યવાહી શરૂ થઈ છે. એડીજી આગ્રા ઝોન રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે, યુવકની પૂછપરછ કરનાર તમામ પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજપત્રિત અધિકારીઓ આ બાબતે તપાસ કરશે. તેમણે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.


મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત
એડીજી આગ્રા ઝોને કહ્યું કે, સરકારે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ અગાઉ આ સંબંધિત અન્ય એક કેસમાં પોલીસસ્ટેશનમાં વેરહાઉસમાંથી માલની ચોરીના કારણે બેદરકારીને ધ્યાનમાં રાખી તત્કાલીન એસએચઓ સહિત 5 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસપહેલાથી જ સ્થાપિત થઈ ચૂક્યો છે, તેની નિષ્પક્ષ તપાસ માટે જિલ્લા બહાર તપાસ હાથ ધરવામાં આવશે. થાણા જગદીશપુરાની તપાસ ટીમમાં 5 સભ્યોનો સમાવેશથતો હતો, આક્ષેપોને જોતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેની તપાસ ગેઝેટેડ અધિકારી દ્વારા કરવામાં આવશે.

સફાઈ કરમચારીનું પોલીસ કસ્ટડીમાં થયું હતું મોત
આગ્રા જિલ્લાના જગદીશપુરા પોલીસ સ્ટેશનના માલખાનામાંથી 25 લાખની ચોરી થઈ હતી. પોલીસ સફાઈ કામદાર પાસેથી ચોરાયેલા પૈસા વસૂલવાનો પ્રયાસ કરીરહી હતી. અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના બાદ પોલીસ વિભાગમાંખળભડાટ મચી ગયો છે. આ ઘટના બાદ વાલ્મીકિ સમાજના લોકોએ પણ એક થવાનું શરૂ કર્યું છે. હંગામો મચાવવાની આશંકાને જોતા નજીકના જિલ્લાઓમાંથી પણદળોને બોલાવવામાં આવ્યા છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં જોડાયેલી છે.

માયાવતીએ દોષિતોને કડક સજા કરવાની માગ કરી
બસપા પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં એક સ્વચ્છતા કર્મચારીનું મૃત્યુ ખૂબ જ દુઃખદ અને શરમજનક છે. યુપી સરકારે દોષિતોને કડકસજા આપવી જોઈએ અને પીડિત પરિવારને દરેક રીતે મદદ કરવી જોઈએ, બસપા આ માટે માગ કરી રહ્યું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ











Click it and Unblock the Notifications
