તો શુ ભાજપે પોતાના ગુંડાઓ મોકલી રમખાણો કરાવ્યા?
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી જે રીતે હિંસા ફેલાઈ અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર વિપક્ષ ઘ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
યુપીના બુલંદશહેરમાં ગૌકશી ઘટના પછી જે રીતે હિંસા ફેલાઈ અને તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમાર અને ગ્રામીણોની મૌત પર વિપક્ષ ઘ્વારા સરકાર પર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કાનૂન વ્યવસ્થા અંગે વિપક્ષ સતત યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપને આડે હાથ લીધું છે, જેમાં હિંસા પાછળ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે વિનોદ કાપરીનાં ટવિટના જવાબ પર લખ્યું કે, 'શુ ભાજપે જાતે ગે કાપીને ફેંકી, પોતાના ગુંડા મોકલીને રમખાણો કરાવ્યા અને પછી પોલીસને મરાવી દીધા?' ફક્ત અરવિંદ કેજરીવાલ જ નહીં પરંતુ ઘણા નેતાઓ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. સપા અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
तो क्या भाजपा वालों ने ख़ुद गाय काट कर फेंकी, ख़ुद अपने गुंडे भेज कर दंगा करवाया और फिर पुलिस वाले को मरवा दिया? https://t.co/yM2g0KAZNF
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 5, 2018
આપણે જણાવી દઈએ કે બુલંદશહેરમાં હિંસા દરમિયાન આગચંપી, તોડફોડની ઘટનાઓ વચ્ચે પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ કુમારનો જીવ ચાલ્યો ગયો હતો. જયારે એક યુવક સુમિતની ગોળી વાગવાથી મૌત થઇ ગઈ. આ હિંસાને કારણે પ્રદેશની કાનૂન વ્યવસ્થા પર પણ સવાલ થઇ રહ્યા છે.
આ પણ વાંચો: કેજરીવાલના જનતા દરબારમાં એક વ્યક્તિ જીવતીં બુલેટ લઇ પહોંચ્યો












Click it and Unblock the Notifications
