Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપ એક દિવસ ઈન્દિરાની જેમ મારા ગાર્ડ પાસે જ મારી હત્યા કરાવશેઃ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે શનિવારે દાવો કર્યો કે તેમની પીએમ ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરાવવામાં આવી શકે છે.

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે શનિવારે દાવો કર્યો કે તેમની પીએમ ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરાવવામાં આવી શકે છે. પોતાની રાજકીય હત્યાનો અંદેશો વ્યક્ત કરીને કેજરીવાલે કહ્યુ કે મારા પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. મારી લાઈફ બે મિનિટની અંદર ખતમ થઈ શકે છે. આ પહેલી વાર નથી જ્યારે અરવિંદ કેજરીવાલે પોતાની હત્યાની શંકા વ્યક્ત કરી છે. આ પહેલા 2016માં પણ અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે પીએમ નરેન્દ્ર મોદી તેમની હત્યા કરાવી શકે છે.

મારી જિંદગી બે મિનિટમાં ખતમ થઈ શકે છે

મારી જિંદગી બે મિનિટમાં ખતમ થઈ શકે છે

એક સમાચાર પત્ર સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આસપાસ જે પોલિસવાળા સુરક્ષા માટે ચાલી રહ્યા છે તે બધા ભાજપને રિપોર્ટ કરે છે. પીએસઓ ભાજપને રિપોર્ટ કરે છે. કાલે આ ઈન્દિરા ગાંધીની જેમ મારી પીએસઓ પાસે જ મારી હત્યા કરાવી દેશે. મારી જિંદગી બે મિનિટમાં ખતમ થઈ શકે છે. કેજરીવાલના આ દાવાને આમ આદમી પાર્ટીના પ્રવકતા સૌરભ ભારદ્વાજે પણ સમર્થન કર્યુ છે.

સીએમ બન્યા બાદ તેમના પર પોલિસની હાજરીમાં 6 વાર હુમલા થયા

મીડિયા સાથે વાત કરતા ભારદ્વાજે કહ્યુ, ‘દિલ્લીના સીએમ બન્યા બાદ તેમના પર પોલિસની હાજરીમાં 6 વાર હુમલા થયા છે. આવી ઘટનાઓ બાદ પણ કોઈ એક્શન લેવામાં આવી નથી. અમને દિલ્લી પોલિસ પર વિશ્વાસ નથી.' તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં કેજરીવાલને એક વ્યક્તિએ તેમના રોડ શોમાં થપ્પડ મારી દીધી હતી. તે કેજરીવાલની જીપ પર ચઢી ગયો હતો અને પછી તેમને થપ્પડ મારી હતી. બાદમાં તેને જીપમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સતત આપ ભાજપ પર હુમલાના આરોપ લગાવતી રહી છે.

મુસ્લિમ મતદારો વિશે આપ્યુ સનસનીખેજ નિવેદન

મુસ્લિમ મતદારો વિશે આપ્યુ સનસનીખેજ નિવેદન

વળી, આ પહેલા અરવિંદ કેજરીવાલે શુક્રવારે એમ કહીને સનસની ફેલાવી દીધી હતી કે મતદાનના 48 કલાક પહેલા લાગી રહ્યુ હતુ કે આપને બધી સાત સીટો પર જીત મળશે. પરંતુ છેલ્લી ઘડીએ બધા મુસ્લિમ મતો કોંગ્રેસના ખાતામાં જતા રહ્યા. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આ બધુ મતદાનની બરાબર પહેલાની રાતે થયુ. હવે જોઈએ છે આગળ શું થાય છે. કેજરીવાલે કહ્યુ કે તે તપાસ કરી રહ્યા છે કે એવુ શું થયુ કે બધા મુસ્લિમ મતો કોંગ્રેસના ખાતામાં શિફ્ટ થઈ ગયા. તેમણે કહ્યુ કે મુસ્લિમ 12-13 ટકા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X