શીલા દીક્ષિતે આ કર્યું હોત તો અમારે AAP બનાવી ના પડતે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુલીને ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર પ્રહાર કર્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુલીને ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિત પર પ્રહાર કરતા કહ્યું છે કે જો તેમને સારી સરકાર ચલાવી હોત અને સારું કામ કર્યું હોત તો તેમને આમ આદમી પાર્ટી શરુ કરવાની જરૂર ના પડી હોત. અરવિંદ કેજરીવાલે કહ્યું કે શીલા દીક્ષિતના શાશનમાં સ્કૂલથી લઈને હોસ્પિટલ દરેક જગ્યાની હાલત ખુબ જ ખરાબ હતી.
ચૂંટણી રેલીને સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર પણ તીખા પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે મોદી સરકારે તેમના કામને રોકવા માટે દરેક સંભવ પ્રત્યન કર્યા. અમે નવી સ્કૂલ ખોલવા માંગીએ છે, હોસ્પિટલ બનાવવા માંગીએ છે મોહલ્લા ક્લિનિક ખોલવા માંગીએ છે પરંતુ આ લોકો અમને કામ નથી કરવા દેતા. છેલ્લા ત્રણ વર્ષથી મોદી સરકાર સીસીટીવી કેમેરા સંબંધિત ફાઈલો આગળ નથી વધારી રહી. અમે વચન આપ્યું હતું કે આખી દિલ્હીમાં સીસીટીવી કેમેરા લગાવી દઇશુ પરંતુ મોદી સરકાર અમને કામ નથી કરવા દેતા.
આ પણ વાંચો: દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને દરેક કામ કરતા પહેલા મોદી સરકારની મંજૂરી લેવી પડે છે. દરેક રાજ્યને પૂર્ણ અધિકાર છે પરંતુ દિલ્હીને પૂર્ણ અધિકાર નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે લોકો સરકારના કામમાં અડચણ ઉભી કરે છે, તેમને ફરી વોટ નહિ આપો. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીની સાતે સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરી દીધા છે.
આ પણ વાંચો: વોટ શેર સર્વે: આપ સાથે ગઠબંધન નહીં થયું તો કોંગ્રેસને ભારે નુકશાન