અરવિંદ કેજરીવાલે કહ્યુ - દિલ્લીમાં કોરોના બ્લાસ્ટનો ખતરો
દિલ્લીમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે બુધવારે એક વાર ફરીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને વર્તમાન સ્થિતિની માહિતી આપી.
દિલ્લીમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે બુધવારે એક વાર ફરીથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કૉન્ફરન્સ કરીને વર્તમાન સ્થિતિની માહિતી આપી. અરવિંદ કેજરીવાલે અટકળો લગાવી છે કે દિલ્લીમાં આવનારા સમયમાં કોરોના બ્લાસ્ટ થવાનો છે. રાજધાનીમાં કોરોના સંક્રમિતાની સંખ્યામાં વધારો જોવા મળશે. તેમણે સાથે જ કહ્યુ કે દિલ્લીની બધી હોસ્પિટલોમાં હવે કેન્દ્રના આદેશ અનુસાર બધાનો ઈલાજ કરવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં અત્યારે 18 હજાર લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે આમાંથી 15 હજાર લોકો પોતાના ઘરોમાં છે. સીએમે કહ્યુ કે આવનારા સમયમાં દિલ્લીમાં કોરોના બહુ ઝડપથી ફેલાવાનો છે. 15 જૂને 44 હજાર કેસ થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે 31 જુલાઈ સુધી આપણે 80 હજાર બેડની જરૂરત પડશે. જેટલા બેડ અમને દિલ્લીવાળા માટે જોઈએ એટલા જ બેડ અમને બહારના લોકો માટે જોઈએ. એટલે કે જો દિલ્લીમાં 33 હજારની બેડની જરૂર થશે તો બહારથી આવનારા માટે મળીને કુલ 65 હજાર બેડની જરૂર હશે.
તેમણે કહ્યુ, 'હવે હું ખુદ જમીન પર ઉતરીશ. સ્ટેડિયમ, બેંકેડ હૉલ અને હોટલ તૈયાર કરવી પડશે. અમારી ઈમાનદાર કોશિશ હશે. કોઈ કમી નહિ રહે.' સીએમ કેજરીવાલે કહ્યુ કે આ મુશ્કેલી એટલી મોટી છે કે માનવ જાતિના ઈતિહાસમાં આટલી મોટી મુશ્કેલી ક્યારેય નથી આવી. હું પડોશી રાજ્યોને પણ નિવેદન કરુ છુ કે તે ત્યાં યોગ્ય વ્યવસ્થા કરે દર્દીઓ માટે જેથી ઓછામાં ઓછા લોકો માટે દિલ્લી આવવાની જરૂર પડે.
તેમણે કહ્યુ, આ સમય રાજનીતિનો નથી. હું જોઉ છુ કે ભાજપવાળા આપ જોડે, આપવાલા કોંગ્રેસ સાથે લડી રહ્યા છે. જો આપણે પરસ્પર લડતા રહ્યા તો કોરોના જીતી જશે. આપણે એક થવાનુ છે. આપણે એક દેશ બનવાનુ છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે આ લડાઈને હવે જન આંદોલન બનાવવાનુ છે. માસ્કર પહેરવુ પડશે, હાથ ધોવા પડશે અને સોશિયલ ડિસ્ટંસીંગ રાખવુ પડશે. ખુદ પણ પાલન કરવાનુ છે અને બીજા પાસે પણ પાલન કરાવવાનુ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
