કોરોના સામે જંગમાં શહીદ થયેલ વૉરિયર્સના પરિવારને આપશે 1 કરોડઃ કેજરીવાલ
કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનાર કોરોના વૉરિયર્સ માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યુ છે.
કોરોના વાયરસ સામે ચાલી રહેલ જંગમાં સૌથી મહત્વની ભૂમિકા નિભાવનાર કોરોના વૉરિયર્સ માટે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટુ એલાન કર્યુ છે. ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ કે જો કોરોના દર્દીની સેવા કરતા કોઈ પણ કર્મચારી ભલે તે સફાઈ કર્મચારી હોય, ડૉક્ટર હોય, નર્સ હોય ભલે તે સરકારમાં હોય કે પ્રાઈવેટમાં હોય કોરોનાના કારણે શહીદ થાય તો દિલ્લી સરકાર તેના પરિવારને 1 કરોડની સમ્માન રકમ આપશે.

કોરોના દર્દી અને તેમના સંપર્કમાં આવવાથી ડૉક્ટર, નર્સ સહિત સફાઈ કર્મચારીઓને જીવનુ જોખમ રહે છે. માટે કેજરીવાલ સરકારે 1 કરોડ રૂપિયાની સમ્માન રકમનુ એલાન કરીને તેમનુ પ્રોત્સાહન વધાર્યુ છે. દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં 2000થી વધુ લોકો સામે આવ્યા બાદ દેશમાં હોબાળો મચી ગયો છે. આ આયોજનમાં શામેલ અમુક લોકોના કોરોના સંક્રમણ હોવાના કારણે દિલ્લીમાં કુલ કેસોની સંખ્યા વધીને 120ને પાર જઈ ચૂકી છે. વળી, મહામારીથી દિલ્લીમાં 2 લોકોના મોત પણ થયા છે. આ દરમિયાન મોહલ્લા ક્લિનિકના ડૉક્ટરમાં કોરોના પૉઝિટીવ મળી આવ્યા બાદ 12 માર્ચ, 2020 બાદ તેમનો ઈલાજ કરાવનાર લોકોને ક્વૉરંટાઈનમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
મૌજપુર અને બાબરપુર વિસ્તારમાં મોહલ્લા ક્લીનિકમાં ડૉક્ટરના કોરોના પૉઝિટીવ મળ્યા બાદ હવે રાજધાની દિલ્લીની સરકારી હોસ્પિટલમાં એક ડૉક્ટરના કોરોના પૉઝિટીવ મળવાના સમાચાર આવી રહ્યા છે. આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ(કોવિડ-19) સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં વાયરસના કારણે 36571થી વધુ લોકોના મોત થઈ ગયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા સાત લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમા સંક્રમિત કેસોની સંખ્યા 1637 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 38 લોકોના મોત પણ થઈ ગયા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
