કેજરીવાલ આજે આપશે રાજીનામુ, બોલાવી AAP ધારાસભ્ય દળની બેઠક, દિલ્લીના નવા મુખ્યમંત્રી કોણ?
Arvind Kejriwal Resign From Delhi CM Today: આમ આદમી પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલ આજે એટલે કે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના ઉત્તરાધિકારીની શોધ શરૂ થઈ ગઈ છે. મુખ્ય દાવેદારોની ચર્ચા થઈ રહી છે.
આ માટે મંગળવારે સવારે 11:30 વાગ્યે AAP ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ધારાસભ્યો તેમના આગામી નેતાની પસંદગી કરશે. AAP પાસે હાલમાં 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં 60 ધારાસભ્યો છે, જે નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સોમવારે, અરવિંદ કેજરીવાલે રાજધાનીના રાજકારણમાં હલચલ મચાવતા દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી સત્તાવાર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. AAPની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (PAC)એ કેજરીવાલના અનુગામીના નામ પર ચર્ચા કરી. આ બેઠકમાં ઘણા નામો પર વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં હાલના મંત્રીઓ અને દિલ્હીના વરિષ્ઠ નેતાઓના નામો મુખ્ય હતા.
AAPના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ આ પદ માટે દાવેદાર હોઈ શકે છે. આમાં આતિશી, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય અને કૈલાશ ગેહલોતના નામ સામે આવી રહ્યા છે. સાથે જ કેટલીક અટકળો પણ એવું કહી રહી છે કે આ પદ માટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની પણ વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત રાખી બિરલા અને કુલદીપ કુમાર જેવા દલિત સમુદાયમાંથી આવતા નેતાઓના નામ પણ ચર્ચામાં છે.
કેજરીવાલ મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને રાજીનામું સુપરત કરશે. રાજીનામું સ્વીકારાયા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે.
કેજરીવાલના રાજીનામા પર ભાજપે ટિપ્પણી કરી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે કેજરીવાલ પાસે મુખ્યમંત્રી પદ પર રહેવાનો કોઈ વિકલ્પ નથી કારણ કે સુપ્રિમ કોર્ટે તેમને સરકારી ફાઈલો પર સહી કરવા અને સરકારી ઓફિસોમાં જવાથી રોકી દીધા હતા. તે જ સમયે, AAP પાર્ટીએ આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે આ નિર્ણય ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ છે અને કેજરીવાલ જનતાની વચ્ચે જઈને પોતાની નિર્દોષતા સાબિત કરશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
