કેજરીવાલ આજે આપશે રાજીનામુ, બોલાવી AAP ધારાસભ્ય દળની બેઠક, દિલ્લીના નવા મુખ્યમંત્રી કોણ?
Arvind Kejriwal Resign From Delhi CM Today: આમ આદમી પાર્ટી (AAP)ના અરવિંદ કેજરીવાલ આજે એટલે કે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના ઉત્તરાધિકારીની શોધ શરૂ થઈ ગઈ છે. મુખ્ય દાવેદારોની ચર્ચા થઈ રહી છે.
આ માટે મંગળવારે સવારે 11:30 વાગ્યે AAP ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ધારાસભ્યો તેમના આગામી નેતાની પસંદગી કરશે. AAP પાસે હાલમાં 70 સભ્યોની દિલ્હી વિધાનસભામાં 60 ધારાસભ્યો છે, જે નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સોમવારે, અરવિંદ કેજરીવાલે રાજધાનીના રાજકારણમાં હલચલ મચાવતા દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી સત્તાવાર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. AAPની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (PAC)એ કેજરીવાલના અનુગામીના નામ પર ચર્ચા કરી. આ બેઠકમાં ઘણા નામો પર વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં હાલના મંત્રીઓ અને દિલ્હીના વરિષ્ઠ નેતાઓના નામો મુખ્ય હતા.
AAPના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ આ પદ માટે દાવેદાર હોઈ શકે છે. આમાં આતિશી, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય અને કૈલાશ ગેહલોતના નામ સામે આવી રહ્યા છે. સાથે જ કેટલીક અટકળો પણ એવું કહી રહી છે કે આ પદ માટે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની પણ વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત રાખી બિરલા અને કુલદીપ કુમાર જેવા દલિત સમુદાયમાંથી આવતા નેતાઓના નામ પણ ચર્ચામાં છે.
કેજરીવાલ મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને રાજીનામું સુપરત કરશે. રાજીનામું સ્વીકારાયા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે અને સમગ્ર પ્રક્રિયા એક સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે.
કેજરીવાલના રાજીનામા પર ભાજપે ટિપ્પણી કરી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતોને કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે કેજરીવાલ પાસે મુખ્યમંત્રી પદ પર રહેવાનો કોઈ વિકલ્પ નથી કારણ કે સુપ્રિમ કોર્ટે તેમને સરકારી ફાઈલો પર સહી કરવા અને સરકારી ઓફિસોમાં જવાથી રોકી દીધા હતા. તે જ સમયે, AAP પાર્ટીએ આ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે આ નિર્ણય ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ છે અને કેજરીવાલ જનતાની વચ્ચે જઈને પોતાની નિર્દોષતા સાબિત કરશે.
-
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
