અરવિંદ કેજરીવાલે 2 જૂને કરવુ પડશે સરેન્ડર, જામીન લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત
Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આગોતરા જામીન લંબાવવાની અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરવિંદ કેજરીવાલની અરજી લેવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે પણ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી લિકર પૉલિસીનો કેસ ચાલી રહ્યો છે. કેજરીવાલે કોર્ટને તેમના જામીન 7 દિવસ વધારવાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે તેનો ઇનકાર કરી દીધો હતો.

રજિસ્ટ્રીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મુખ્ય મંત્રીને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની સ્વતંત્રતા આપી છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે કેજરીવાલે 2 જૂન સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. તમને જણાવી દઈએ કે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં જજ મહેશ્વરીની બેંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બેન્ચે કહ્યું કે અમે આ મામલે કોઈ આદેશ આપી શકીએ નહીં. આ માટે તમે ચીફ જસ્ટિસ પાસે જાઓ. આ મામલે મુખ્ય ન્યાયાધીશ નિર્ણય કરશે.
મંગળવારે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ તબીબી આધાર પર સાત દિવસની વચગાળાની રાહત માંગી હતી. તેમણે કહ્યું હતું કે કેજરીવાલને મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે, આ કોઈપણ રીતે કોર્ટ દ્વારા આપવામાં આવેલી સ્વતંત્રતાનો દુરુપયોગ નથી. પરંતુ કોર્ટે કહ્યું કે આ અંગે સીજેઆઈ નિર્ણય લેશે.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, ED દ્વારા તેમને પૂછપરછ માટે 9 સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે ઈડી સમક્ષ હાજર થયા ન હતા. ઈડીનો આરોપ છે કે કેજરીવાલ આ કેસમાં મુખ્ય કાવતરાખોર છે. જો કે ધરપકડ થયા બાદ પણ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યું ન હતું અને જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરી હતી.












Click it and Unblock the Notifications
