Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાશ્મીરમાં હિંદુ રાજાઓ હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતાઃ સીએમ યોગી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના શિખ સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે જ્યાં સુધી કાશ્મીરમાં હિંદુ રાજા હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના શિખ સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે જ્યાં સુધી કાશ્મીરમાં હિંદુ રાજા હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતા. જ્યારે હિંદુ રાજાનું પતન થયુ તો હિંદુઓનું પણ પતન થવાનું શરૂ થઈ ગયુ. આજે ત્યાંની સ્થિતિ શું છે? કોઈ પોતાને સુરક્ષિત કરી શકે છે? ના. આપણે ઈતિહાસમાંથી શીખવુ જોઈએ. તમને જણાવી દઈએ કે આ પહેલા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કાશ્મીરી નેતાઓ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે આ એવા લોકો છે જે હુર્રિયતની પરવાનગી વિના ટોયલેટ પણ નથી જઈ શકતા.

yogi adityanath

તમને જણાવી દઈએ કે આ પહેલા યોગી આદિત્યનાથે શનિવારે રાષ્ટ્રવાદની વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે લોકો માટે રાષ્ટ્રવાદ સૌથી મોટો ધર્મ હોવો જોઈએ. નક્સલવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે સામૂહિક અવાજ ઉઠાવવો જોઈએ. તમને જણાવી દઈએ કે ભાજપનો આ શિખ સંમેલન પીડબ્લ્યુડી વિભાગના વિશ્વેશ્વરૈયા ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ. આ સંમેલન ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશોત્સવને સમર્પિત હશે.

સબરીમાલાની જેમ રામ મંદિર પર પણ ચુકાદો સંભળાવવો જોઈએ

યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે જે રીતે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે પોતાનો ચુકાદો સંભળાવ્યો તે રીતે તેણે અયોધ્યામાં રામ મંદિર મુદ્દે પણ સંભળાવવો જોઈએ. યોગી આદિત્યનાથે કહ્યુ કે અયોધ્યામાં મંદિર લોકોના હ્રદયમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યુ કે તેમના અને તેમના પક્ષ ભાજપ માટે રામ મંદિર કોઈ ચૂંટણી મુદ્દો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X