આસારામે ભૂત ઉતારવાના નામે દૂધ પીવડાવી કર્યું ગંદુ કામ
આસારામ રેપ કેસમાં નિર્ણય આવે તે પહેલા જાણો પીડિતાની તે કહાણી જે છે સૌથી અજાણી. આસારામ પર પીડિતાએ શું આરોપ લગાવ્યો છે તેની સમગ્ર કહાની વાંચો અહીં વિગતવાર.
સગીર યુવતી સાથે બળાત્કારના કેસમાં જેલમાં બંધ આસારામ બાપુ પર આજે નિર્ણય આવશે. આ માટે આજે ચાંપતો બંદોવસ્ત પણ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના ઉચ્ચ ન્યાયલયના નિર્દેશો મુજબ સુનવણી જોધપુરની સેન્ટ્રલ જેલ પરિસરમાં જ થશે. આસારામ વિરુદ્ધ આઇપીસીની કલમ 342,376, 354-A, 506, 509/34, જેજે એક્ટ 23 એ અને 26 સાથે પોક્સો એક્ટની કલમ 8 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ પીડિતાના પરિવારની સુરક્ષા પણ વધારવામાં આવી છે. અને સમગ્ર રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પીડિતાના ભાઇને પણ હથિયારનું લાયસન્સ આપવામાં આવ્યું છે. ત્યારે આ નિર્ણય આવે તે પહેલા જાણો પીડિતા સાથે તે રાતે શું થયું હતું.

ભૂત પ્રેત
યુપીના શાહજહાંપુરની રહેવાસી પીડિતાએ આઇપીસીની કલમ 164 હેઠળ પોતાનું નિવેદન દાખલ કર્યું હતું. વાત 6 ઓગસ્ટ 2013ની છે. આસારામના ગુરુકુળમાં ભણતી પીડિતાની તબિયત ખરાબ હતી. તેને પેટમાં દુખાવો રહેતો હતો. બાબાની જ એક મહિલા સાધ્વી, યુવતીમાં ભૂત પ્રેતનો સાયો છે તેમ કહીને પીડિતાને બાબા પાસે લઇ ગઇ. અને કહ્યું કે તારી પર જે ભૂતનો વાસ છે તેને આસારામ બાપુ દૂર કરી દેશે. 14 ઓગસ્ટ 2013ના રોજ પીડિતાને આસારામ પાસે લઇ જવામાં આવી.

આસારામની વાતચીત
આસારામ- હું તારું ભૂત ઉતારી દઇશ. કયા ક્લાસમાં ભણે છે.
પીડિતા - બાપુ હું સીએમ બનવા માંગુ છું.
આસારામ- સીએ કરીને શું કરશે મોટા મોટા અધિકારી મારા પગે પડે છે. તું બીએડ કર અને શિક્ષકા બન. હું તને મારા ગુરુકુળમાં શિક્ષિકા બનાવીશ. તે પછી પ્રિસિપાલ પણ બનાવી દઇશ. તમારી પર ભૂતની છાયા છે. તું રાતે મારી પાસે આવજે. તારી પરથી ભૂત ઉતારી દઇશ.
પીડિતા- ઠીક છે બાપુ

આસારામ
તે પછી પીડિતા ત્યાંથી જતી રહી અને 15 ઓગસ્ટ અને 16 ઓગસ્ટ 2013ની રાત તેને ઝૂંપડીની અંદર બોલાવી. ત્યાં રસોઇયો એક ગ્લાસ દૂધ લઇને આવ્યો. તે પછી આસારામે યુવતી સાથે તે કર્યું જે તેમણે ના કરવું જોઇતું હતું. આરોપ તે પણ છે કે છોકરીના યૌન ઉત્પીડન પછી આસારામે તેને ધમકી પણ આપી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
