રામનવમીમાં આસારામ ના પોસ્ટર, ભગવાન રામ સાથે કરી તુલના
નાબાલિક સાથે બળાત્કારના કેસમાં જેલમાં બંધ આસારામ બાપુ પર ફરીથી ચર્ચા ચાલુ થઇ ગઈ છે. જોધપુરમાં રામનવમીની શોભા યાત્રા દરમિયાન આસારામ બાપુ ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરના માધ્યમથી આસારામ બાપુને નિર્દોષ સાબિત કરવાની કોસિસ કરવામાં આવી હતી.
સૌથી ચોકાવી નાખે તેવી વાત તો એ છે કે પોસ્ટરમાં આસારામ બાપુ ને અશોક સિંઘલ કરતા પણ મોટા બતાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શોભાયાત્રા દરમિયાન ભગવાન રામના 200 કરતા વધારે પોસ્ટરમાં ભગવાન રામ નું જીવન ચરિત્ર બતાવવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં 3 પોસ્ટર એવા હતા જેમાં આસારામ બાપુ ને નિર્દોષ બતાવવામાં આવ્યા હતા.
કેટલાક લોકોએ આ પોસ્ટરનો વિરોધ પણ કર્યો અને કહ્યું કે આસારામને ભગવાન રામની બરાબર કઈ રીતે બતાવી શકાઈ. આસારામ બાપુના પોસ્ટર પર લખ્યું હતું કે આસારામ બાપુ નિર્દોષ છે, દોશી હોવા છતા બીજા બધાને જમાનત મળી ગઈ તો આસારામ બાપુને કેમ ના મળી.