Live: રેપ કેસમાં આસારામને આજીવન કારાવાસની સજા
આસારામ મામલે આજે જોધપુર કોર્ટ પોતાનો ચૂકાદો આજે સંભળાવી શકે છે. એવામાં જોધપુરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે જેથી કોઈ પણ અસામાજિક તત્વો પરિસ્થિતિ બગાડી ન શકે.
આસારામ મામલે આજે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. એવામાં જોધપુરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે જેથી કોઈ પણ અસામાજિક તત્વો પરિસ્થિતિ બગાડી ન શકે. આસારામ પર આરોપ છે કે તેમણે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં રહેતી સગીરા સાથે જોધપુર સ્થિત પોતાના મનઈ આશ્રમ પર 2013 માં બળાત્કાર કર્યો હતો. આ મામલે ચૂકાદો સંભળાવવા માટે જોધપુર સેન્ટ્રલ જેલમાં વિશેષ કોર્ટ રુમ તૈયાર કરવામાં આવ્યો હતો.
#Visuals from Ahmedabad: Followers of #Asaram praying ahead of #AsaramCaseVerdict. #Gujarat pic.twitter.com/Qn96T8mNhz
— ANI (@ANI) April 25, 2018
દેશભરમાં, આસારામના શ્રદ્ધાળુઓની વિશાળ સંખ્યાને જોતાં પ્રશાસને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. કેન્દ્ર સરકારે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોતાની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવે અને વધારાની સુરક્ષા ફોર્સ પણ તૈયાર રાખે. શાહજહાંપુરમાં પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવી દીધી છે અને પીડિતાના ઘરની સુરક્ષા પણ વધારી દીધી છે. જોધપુર સેન્ટ્રલ જેલના ડીઆઈજી વિક્રમ સિંહે જણાવ્યું કે અમે ચૂકાદા માટે બધી રીતે તૈયાર છીએ. મેજિસ્ટ્રેટ અને તેમની કોર્ટ માટે સઘન વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોર્ટના ચૂકાદા દરમિયાન આસારામ, ચાર અન્ય આરોપી અને બંને પક્ષના વકીલ હાજર રહેશે.
આસારામના સમર્થકોને જોતા પ્રશાસને કોર્ટમાં અપીલ કરી હતી કે આ મામલે ચૂકાદો જેલની અંદર જ સંભળાવવામાં આવે. હાઈકોર્ટમાંથી અનુમતિ મળ્યા બાદ પોલીસે જેલની અંદર જ કોર્ટ સ્થાપિત કરી છે, જ્યાં આજે આ ચૂકાદો સંભળાવવામાં આવશે. જોધપુરના આશ્રમને ખાલી કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત બધી હોટલો, ગેસ્ટ હાઉસને નિર્દેશ આપવામાં આવ્યા છે કે આસારામના સમર્થકોને રુમ આપવામાં ન આવે. અમે માત્ર બસ, રેલવે સ્ટેશન, એરપોર્ટ પર નજર રાખી રહ્યા છે જેથી આસારામના સમર્થકો શહેરમાં પ્રવેશી શકે નહિ.