નારાયણ સાંઇ નેપાળ ભાગી ગયા હોવાની આશંકા, સુરત પોલેસ બિહાર રવાના
સુરત, 8 ઓક્ટોબર: યૌન શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઇ નેપાળ ભાગી ગયા હોવાન સમાચાર છે. પોલીસે તેમના તેમના પાસપોર્ટની ડિટેલ લઇ રહી છે. સમાચાર મુજબ નારાયણ સાંઇની શોધ માટે સુરત પોલીસ બિહાર રવાના થઇ ગઇ છે. નારાયણ સાંઇ વિરૂદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, ત્યારથી તે ફરાર છે.
નારાયણ સાંઇ વિરૂદ્ધ સોમવારે લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બે બહેનોએ યૌન શોષણની ફરિયાદ નોંધાવી છે. તેના એક દિવસ બાદ નારાયણ સાંઇ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાને કહ્યું હતું કે આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે અમે ઇમિગ્રેશન અધિકારીઓને માહિતગાર કર્યા છે કે તેના વિરૂદ્ધ એક ગંભીર આરોપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ (લુક આઉટ નોટિસ) એક મહત્વપૂર્ણ પગલું છે જેથી તે દેશની બહાર જઇ ન શકે. પોલીસ ટુકડીએ કેસની તપાસ શરૂ કરી દિધી છે તથા નારાયણ સાંઇને શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમને કહ્યું હતું કે પોલીસે કેટલાક એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં તે હોય શકે. ગઇકાલે અસ્થાનાએ કહ્યું હતું કે તે નારાયણ સાંઇને ફરિયાદ અંગે પૂછપરછ કરશે.

ઇમિગ્રેશન અધિકારીઓને માહિતગાર કર્યા
આસારામના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાએ કહ્યું હતું કે અમે ઇમિગ્રેશન અધિકારીઓને માહિતગાર કર્યા છે કે તેના વિરૂદ્ધ એક ગંભીર આરોપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બે અલગ-અલગ કેસ દાખલ કર્યા
વિવાદાસ્પદ આસારામ તથા તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ યૌન શોષણનો નવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા જો કે બંને બહેનોએ તેમના વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આસારામ (75)ને કિશોર છોકરી સાથે બળાત્કાર ગુજારવાના આરોપમાં ઓગષ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદથી તે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. પોલીસે બળાત્કાર, યૌન શોષણ, ગેરકાયદેસર રીતે કબજામાં રાખવા તથા અન્ય આરોપોમાં આસારામ તથા નારાયણ સાંઇ વિરૂદ્ધ બે અલગ-અલગ કેસ દાખલ કર્યા છે.

ફરિયાદમાં શું છે આરોપ
નારાયણ સાંઇ વિરૂદ્ધ સૂરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જ્યારે તેમના પિતા આસારામ વિરૂદ્ધ દાખલ કેસને અમદાવાદ સ્થળાંતરિત કરવામાં આવ્યો છે કારણ કે કથિત ઘટના ત્યાં બની હતી. મોટી બહેને પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે આસારામે 1997 થી 2006 દરમિયાન તેનું ઘણીવાર કહ્યું હતું કે તે જ્યારે સુરત આશ્રમમાં 2002 થી 2005 દરમિયાન રહેતી હતી ત્યારે તેની સાથે યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

આસારામની કસ્ટડીની માંગ
કિશોરી સાથે યૌન શોષણનો આરોપ આસારામ હાલ જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. સુરત પોલીસ આસારામની કસ્ટડીની માંગ કરી શકે છે. આસારામ અને નારાયણ સાંઇ વિરૂદ્ધ ફરિયાદ લગભગ 6 વર્ષ બાદ દાખલ કરવામાં આવી હતી. સુરત પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે આઇપીસી કલમ 120 બી, 376(2), 377, 342, 354, 257 અને 506(2) હેઠળ બે એફઆરઆઇ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર બંને બહેનો આસારામના આશ્રમમાં મેડિસન સેન્ટરમાં સેવિકા તરીકે કામ કરતી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
