ગાંધી પરિવાર વિના વિખેરાઈ જશે કોંગ્રેસ એટલા માટે તેમનુ નેતૃત્વ જરૂરીઃ અશોક ગેહલોત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને શિવસભક્ત અને દેશભક્ત ગણાવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીને શિવસભક્ત અને દેશભક્ત ગણાવ્યા છે. તે ઉપરાંત તેમણે ગાંધી પરિવાર વિશે પણ નિવેદન આપ્યુ છે. અશોક ગેહલોતે કહ્યુ કે કોંગ્રેસની એકતા માટે ગાંધી પરિવારનું નેતૃત્વ જરૂરી છે. અશોક ગેહલોતે કહ્યુ કે રાહુલ ગાંધી દેશહિતમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

ગાંધી પરિવારનું નેતૃત્વ જરૂરીઃ અશોક ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે કહ્યુ કે ગાંધી-નહેરુ પરિવાર વિના પાર્ટી વિખેરાઈ જશે. માટે પાર્ટીમાં એકતા જાળવી રાખવા માટે તેમનુ નેતૃત્વ જરૂરી છે. ગેહલોતે કહ્યુ કે રાહુલ ગાંધી ગરીબોના હિત અને દેશહિત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી ક્યારેક ટીકાઓને વ્યક્તિગત નથી લેતા.

ટીકાઓને વ્યક્તિગત નથી લેતાઃ ગેહલોત
ગાંધી પરિવારની પ્રશંસા કરતા અશોક ગેહલોતે કહ્યુ કે છેલ્લા 30 વર્ષોથી આ પરિવારના કોઈ વ્યક્તિએ સરકારમાં કોઈ જવાબદારી નથી લીધી. તેમણે વર્ષ 2004નો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે વખતે એવો મોકો આવ્યો તો સોનિયા ગાંધીએ ત્યાગ કરીને વરિષ્ઠ નેતા મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવ્યા. ગેહલોતે કહ્યુ કે પોતાના લાંબા રાજકીય અનુભવોના આધારે એ કહી શકુ છુ કે ગાંધી પરિવાર વિના પાર્ટી અલગ પડી જશે. તેમણે રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યુ કે પાર્ટીના બધા કાર્યકર્તા તેમના પર વિશ્વાસ કરે છે અને રાહુલ ગાંધીના સવાલોના જવાબ પીએમ મોદી નથી આપી શકતા.

સચિન પાયલટ સાથે કોઈ મતભેદ નહિઃ ગેહલોત
અશોક ગેહલોતે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે તે પોતાના મનની વાત થોપે છે મનની વાત કરતા નથી. જ્યારે રાહુલ ગાંધી કહે છે કે જનતાની વાત સાંભળો. રાહુલ ગાંધીએ ખેડૂતોને જે વચન આપ્યા હતાતેને પૂરા કર્યા. હવે લઘુત્તમ આવક ગેરેન્ટી અને આરોગ્યના અધિકારની વાત રાહુલ ગાંધીએ કરી છે અને આ બંને મુદ્દાઓ ચૂંટણીમાં મુખ્ય રીતે ઉઠાવવામાં આવશે. સચિન પાયલટ સાથે મતભેદના સમાચારો પર તેમણે કહ્યુકે આ માત્ર મીડિયાની બનાવેલી વાતો છે. મારે પાયલટ સાથે કોઈ વિવાદ નથી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ









Click it and Unblock the Notifications
