Ashram Flyover reopen: આજથી દિલ્લીવાસીઓ માટે ખુલી રહ્યો છે આશ્રમ ફ્લાયઓવર, હવે મળશે ટ્રાફિકજામથી રાહત
દિલ્લી પોલીસ તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે આશ્રમ ફ્લાઈઓવર 6 માર્ચ, 2023ના રોજ 5 વાગે યાત્રીઓ માટે ખોલી દેવામાં આવશે. આ સાથે દિલ્લી ટ્રાફિક પોલીસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

Ashram Flyover reopen: દિલ્લીના આશ્રમ ફ્લાયઓવરને આજે સાંજે 5 વાગે હળવા વાહનો માટે ખોલી દેવામાં આવશે. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેનુ ઉદઘાટન કરશે. જો કે, ફ્લાઈઓવર પરથી ભારે વાહનો પસાર નહિ થઈ શકે. માહિતી મુજબ હજુ અમુક કાર્ય પૂરા થયા ન હોવાથી ભારે વાહનોને ફ્લાઈઓવર પર જવાની મંજૂરી નથી. એક મહિનામાં કામ પૂર્ણ થયા બાદ ભારે વાહનો પણ ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે.
આ ફ્લાઈઓવરની મદદથી લોકોને ટ્રાફિકજામથી રાહત મળશે. આશ્રમ ચોક અને ડીએનડી વચ્ચે ટ્રાફિક સિગ્નલથી લોકોને રાહત મળશે અને ગાડીઓની અવરજવર સુલભ થશે. તમને જણાવી દઈએ કે આ ફ્લાયઓવરનુ ઉદઘાટન 28 ફેબ્રુઆરીએ થવાનુ હતુ. પરંતુ કેટલાક કારણોસર તે મુલતવી રાખવામાં આવ્યુ હતુ. સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે કેટલાક કામ બાકી છે જે ત્રણ-ચાર દિવસમાં પૂરા કરવામાં આવશે, ત્યારબાદ તેને સામાન્ય લોકોને સમર્પિત કરવામાં આવશે. કેબિનેટ દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ ફ્લાયઓવરના વિસ્તરણનુ બાંધકામ જૂન 2020માં શરૂ થયુ હતુ. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 128.25 કરોડ હતો.
દિલ્લી પોલીસ તરફથી ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે આશ્રમ ફ્લાઈઓવર 6 માર્ચ, 2023ના રોજ 5 વાગે યાત્રીઓ માટે ખોલી દેવામાં આવશે. આ સાથે દિલ્લી ટ્રાફિક પોલીસ તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રવિવારે સાંજે જાહેર કરાયેલ એડવાઈઝરીમાં લોકોને આશ્રમ ફ્લાયઓવર માટે બારાપુલ્લા ફ્લાયઓવરનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આ ફ્લાયઓવર આજે સાંજે 5 વાગે ખુલશે, ત્યારબાદ દિલ્લીથી નોઈડા જનારા લોકોને ઘણી રાહત મળશે. આ ફ્લાયઓવર પર માત્ર હળવા વાહનોને જ મંજૂરી આપવામાં આવશે. ટ્રાફિક પોલીસ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ડીએનડીથી આવતા અને ગુરુગ્રામ, ચિરાગ દિલ્લી, કાલકાજી, ખાનપુર, ગ્રેટર કૈલાશ, સાકેત, એઈમ્સ, આઈએનએ અને સફદરજંગ તરફ જતા માત્ર હળવા વાહનોને આશ્રમ ફ્લાયઓવર પર જવાનુ રહેશે, બારાપુલ્લા ફ્લાયઓવર પર નહીં. લોકોને ટ્રાફિક પોલીસની સૂચનાઓનુ પાલન કરવા અપીલ કરવામાં આવી છે જેથી તેઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
Traffic Advisory
— Delhi Traffic Police (@dtptraffic) March 5, 2023
Ashram Flyover is re-opening for the commuters on March 06, 2023 from 5:00 PM. Commuters using Barapulla Flyover are advised to follow the given instructions.#DPTrafficAdvisory pic.twitter.com/X3be8Chjk5
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
