'સીએમના ઘરે એવુ તો શું મળ્યુ કે તેમને CBIએ બોલાવ્યા', અરવિંદ કેજરીવાલને સમન મળવા પર બોલ્યા આતિશી
Arvind Kejriwal CBI Notice: દિલ્લી એક્સાઇઝ પૉલિસી મામલે એક દિવસ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBIની નોટિસ બાદથી રાજકારણ ગરમાયુ છે. પહેલા સંજય સિંહ, હવે શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે.
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે પૂછ્યું છે કે શા માટે દિલ્લીના મુખ્યમંત્રીને સમન્સ મોકલવામાં આવ્યા છે. CMના ઘરેથી એવુ તો શું મળ્યુ કે CBIએ તેમને બોલાવ્યા? CBI આમ આદમી પાર્ટી પર એક પણ રૂપિયાનુ કૌભાંડ સાબિત કરી શકી નથી.

આતિશી માર્લેનાએ કહ્યું કે CBI આમ આદમી પાર્ટી પર એક રૂપિયાનુ પણ કૌભાંડ સાબિત કરી શકી નથી. હજુ સુધી આપ પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ સાબિત થયો નથી. આતિશી માર્લેનાએ વધુમાં કહ્યુ કે કેજરીવાલ એકમાત્ર એવા નેતા છે જે ભ્રષ્ટાચારના મુદ્દા પર વાત કરે છે. તેઓ તેમનો અવાજ દબાવવા માંગે છે. આ લોકો સીએમ કેજરીવાલને ન તો ડરાવી શકે છે અને ન રોકી શકે છે.
જ્યારે કેજરીવાલજી મોદીજીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે કે 2014માં મોદીજી પીએમ બન્યા પછી મિત્રની નેટવર્થ 60 હજાર કરોડથી વધીને 11 લાખ કરોડ કેવી રીતે થઈ? નકલી કંપનીઓમાંથી મિત્રની કંપનીમાં કાળા નાણાંની તપાસ કેમ નથી થતી? ત્યારે મોદીજી અરવિંદ કેજરીવાલને ચૂપ કરાવવા માંગે છે.
આતિશી માર્લેનાએ એમ પણ કહ્યુ કે 16 એપ્રિલે સીએમ અરવિંદ કેજરીવાલ સીબીઆઈના સવાલોના જવાબ આપવા જશે. જે પણ તપાસ થશે તેમાં તે સંપૂર્ણ સહયોગ કરશે. AAP આ મુદ્દાને દરેક માધ્યમથી લોકોમાં જોરશોરથી ઉઠાવશે.
દિલ્લી એક્સાઇઝ પૉલિસી મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યાના એક દિવસ પછી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તપાસ એજન્સીઓ પર જેલમાં બંધ AAP નેતા મનીષ સિસોદિયા વિરુદ્ધ ખોટા સોગંદનામા દાખલ કરવાનો આરોપ લગાવ્યો. કેજરીવાલે દાવો કર્યો હતો કે તેઓ સિસોદિયા વિરુદ્ધ જુબાની આપવા માટે લોકોને ટૉર્ચર કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
