For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા અટેક પર બોલ્યા મોદી- જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય

પુલવામા અટેક પર બોલ્યા મોદી- જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આત્મઘાતી હુમલામાં 30 જવાનો શહીદ થઈ ગયા છે. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ સીઆરપીએફની બસ પર આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. પીએમ મોદીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલ આતંકી હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે ટ્વીટર પર કહ્યું કે આપણા બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ નહિ જાય. પીએમ મોદીએ જણાવ્યું કે પુલવામામાં હુમલાને જોતા સ્થિતિને લઈ મેં ગૃહમંત્રી રાજનાથ સિંહ અને અન્ય શીર્ષ અધિકારીઓ સાથે વાતચીત કરી છે.

modi

જણાવી દઈએ કે રાજનાથ સિંહે શુક્રવારે ઘટનાસ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે ગૃહ મંત્રાલયના ઉપરી અધિકારીઓ સાથે મીટિંગ કરી. તેમણે કહ્યું કે જ્યારે પણ આતંકવાદી સમૂહ પર દબાણ પડે છે, તેઓ આવા પ્રકારના કૃત્ય કરતા હે છે. તમે જાણો છો કે હાલમાં જ સુરક્ષા એજન્સીઓએ શીર્ષ આતંકવાદી સમૂહો વિરુદ્ધ અભિયાન છેડી રાખ્યું છે. તેઓ સતત CRPFના વરિષ્ઠ અધિકારીઓની સ્થિતિની જાણકારી લઈ રહ્યા છે.

આ પણ વાંચો- પુલવામા આતંકી હુમલોઃ જૈશના આ આતંકી આદિલે લીધો CRPFના 40 જવાનોના જીવ

English summary
Attack on CRPF personnel in Pulwama is despicable: Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X