કુપવાડાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલન, ત્રણ જવાન શહિદ!
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના ઘટી છે. આ ઘટનામાં સેનાના 3 જવાનો શહીદ થયા છે. હાલ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં માછિલ વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના ઘટી છે. આ ઘટનામાં સેનાના 3 જવાનો શહીદ થયા છે. હાલ તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ત્રણેય જવાન 56 આરઆર યુનિટમાં ફરજ બજાવતા હતા.

મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર તમામ ત્રણ યુવાનો અલ્મોડા પાસે તૈનાત હતા. હાલ શહિદ જવાનોના મૃતદેહોને 168 એમએચ ડ્રગમુલ્લામાં ખસેડવામાં આવ્યા છે.
સેનાના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં ફસાયેલા બે જવાનોને બચાવીને કુપવાડાની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સિવાય ફરજ પર તૈનાત અન્ય એક સૈનિકને પણ હાઈપોથર્મિયા થયો હતો. ત્રણેયને હોસ્પિટલ લઈ જવાયા હતા. સારવાર બાદ પણ આ ત્રણેય જવાનોને બચાવી શકાયા ન હતા.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી કે હિમ સ્ખલનના કારણે કોઈ સૈનિકનો જીવ ગયો હોય. આ પહેલા પણ આવી દુર્ઘટનામાં અને લોકોના જીવ ગયા છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
