Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે અયોધ્યા વિવાદ

મધ્યસ્થી દ્વારા ઉકેલવામાં આવશે અયોધ્યા વિવાદ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ વિવાદના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને દેખરેખમાં મધ્યસ્થીન લઈ પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો, જેના પર શુક્રવારે ફેસલો આવી શકે છે. મામલાની સુનાવણી કરી રહેલ 5 સભ્યોની પીઠે કહ્યું હતું કે જો એક ટકા પણ મધ્યસ્થીની જરૂરત જણાશે તો તે દિશામાં કોશિશ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને મધ્યસ્થી માટે નામ જણાવવા કહ્યું હતું કે બાદ અખિલ ભારતીય હિંદુ મહાસભા તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, પૂર્વ ચીફ જસ્ટિસ જગદીશ સિંહ ખેહર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકના નામ આપ્યાં હતાં.

supreme court

Mar 08, 2019, 11:43 am IST

મુસ્લિમ પક્ષકાર ઈકલાબ અંસારી- અયોધ્યા વિવાદ વાતચીતથી હલ થઈ જાય તો સારું, અમે ફેસલાનું સ્વાગત કરીએ છીએ.
Mar 08, 2019, 11:42 am IST

ફૈઝાબાદમાં આગલા અઠવાડિયે શરૂ થશે મધ્યસ્થીની પ્રક્રિયા, ત્રણ લોકોની પેનલ દ્વારા અયોધ્યા વિવાદ ઉકેલવાની કોશિશ
Mar 08, 2019, 11:42 am IST

આઠ અઠવાડિયામાં મધ્યસ્થીની પ્રક્રિયા સમાપ્ત થઈ જશે અને તે બાદ કમિટીને પોતાની ફાઈનલ રિપોર્ટ સોંપવાની રહેશે.
Mar 08, 2019, 11:41 am IST

મધ્યસ્થીની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થશે. મધ્યસ્થી શરૂ થયાના ચાર અઠવાડિયા બાદ સુપ્રીમ કોર્ટે એક પ્રગતિ રિપોર્ટ માંગ્યો છે.
Mar 08, 2019, 11:40 am IST

સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે અદાલતની દેખરેખમાં મધ્યસ્થીની કાર્યવાહી પૂરી રીતે ગોપનીય હશે.
Mar 08, 2019, 11:40 am IST

મધ્યસ્થીની પ્રક્રિયા શરૂ થાય છે તો આખા ઘટનાક્મમાં મીડિયા રિપોર્ટિંગ પૂરી રીતે પ્રતિબંધિત હશે.
Mar 08, 2019, 11:38 am IST

મધ્યસ્થીને લાગે છે કે સતત કેટલાક લોકો સામેલ કરવામાં આવે, તો તે પેનલમાં સામેલ કરી શકે છે. ઉત્તર પ્રદેશ સરકાર ફૈઝાબાદમાં મધ્યસ્થીને તમામ સુવિધાઓ પ્રદાન કરશે. મધ્યસ્થ આવશ્યકતા મુજબ કાયદાની સહાય લઈ શકે છે- સુપ્રીમ કોર્ટ
Mar 08, 2019, 9:08 am IST

મુસ્લિમ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે આખી પ્રક્રિયાની ગોપનીયતા જરૂરી છે અને મધ્યસ્થીનું રિપોર્ટિંગ થાય છે તો અદાલત તેને અવગણના માની શકે છે.
Mar 08, 2019, 9:08 am IST

પાછલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું, અદાલતનું માનવું છે કે મધ્યસ્થીની પ્રક્રિયા શરૂ થાય છે તો સમગ્ ઘટનાક્રમ મીડિયા રિપોર્ટિંગ પર પૂરી રીતે બેન થવો જોઈએ.
Mar 08, 2019, 9:08 am IST

2.77 એકર ભૂમિને ત્રણ પક્ષકારો- સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડો અને રામલલા વચ્ચે બરાબર વહેંચવા માટે અલ્હાબાદ હાઈકોર્ટે 2010ના ફેસલા વિુદ્ધ દાખલ 14 અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે.
Mar 08, 2019, 9:08 am IST

મામલાની પાછલી સુનાવણી દમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે ભૂતકાળમાં શું થયું તેના પર આપણું નિયંત્રણ નથી. કોણે હુમલો કર્યો, કોણ રાજા હતો, મંદિર હતું કે મસ્જિદ. આપણે હાલના વિવાદ વિશે જાણીએ છીએ. આપણે માત્ર વિવાદથી નિપટવાની ચિંતા છે.
Mar 08, 2019, 9:08 am IST

આ કેસની સુનાવણી દરમિયાન હિંદુ મહાસભાએ પોતાનું સ્ટેન્ડ સાફ કરી દીધું કે મધ્યસ્થી ન થઈ શકે, જો કે હિંદુ મહાસભાએ પોતાની તરફથી ત્રણ નામ જણાવ્યાં છે.
Mar 08, 2019, 9:04 am IST

પાછલી સુનાવણી દરમિયાન રામલલા વિરાજમાને કહ્યું હતું કે મધ્યસ્થીથી ઉકેલ ન આવી શકે. જો કે નિર્મોહી અખાડો અને સુન્ની વક્ફ બોર્ડે મધ્યસ્થીનો પક્ષ લીધો હતો.
Mar 08, 2019, 9:03 am IST

આ મામલાની સુનાવણી દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 સભ્યોની બેંચે કહ્યું કે અદાલત અયોધ્યા ભૂમિ વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજે છે અને તેના માટે તેઓ આ મામલામાં જલદી ફેસલો સંભળાવવા માગે છે.
Mar 08, 2019, 9:03 am IST

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ મોનિટર્ડ મધ્યસ્થીની વાત કહી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X