Ayodhya Ram Mandir: રામ મંદિરની છતમાંથી ટપકી રહ્યુ છે પાણી, પૂજારીએ કહ્યુ - ડ્રેનેજની નથી કોઈ વ્યવસ્થા, Video
Ayodhya Ram Temple Leaking: અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ ચોમાસા પહેલાના સમયગાળામાં બાંધકામ એજન્સીની બેદરકારી સામે આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરની છત પરથી વરસાદનું પાણી ટપકતું હોય છે.
આ દાવો અન્ય કોઈએ નહીં પરંતુ અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કર્યો છે. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં પહેલા વરસાદ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં પાણી ટપકતું હતું.

આ અંગે રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ દ્વારા ન્યૂઝ એજન્સી ANIને આપવામાં આવેલ નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વીડિયો વાયરલ થતાં લોકો રામ મંદિર નિર્માણ દરમિયાન કરવામાં આવેલી બેદરકારી સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
હકીકતમાં, મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ કહે છે કે તાજેતરમાં વરસાદમાં પણ છત લીક થઈ રહી હતી, જેને સુધારવામાં આવી હતી. પરંતુ પ્રી-મોનસુનના પહેલા વરસાદ દરમિયાન મંદિરની છત ફરીથી લીક થવા લાગી હતી.
રામ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટપકતા પાણીને કારણે મંદિરમાં ઘણી જગ્યાએ પાણી એકઠું થઈ રહ્યું છે, આ સિવાય મંદિરની સામે પૂજારીના બેસવાની જગ્યા પર પણ વરસાદનું પાણી જમા થઈ રહ્યું છે.
પાણી કાઢવા માટે સખત મહેનત કરવી પડે છે. પૂજારીનું કહેવું છે કે અહીંથી લોકો VIP દર્શન માટે પસાર થાય છે અને આ તે જગ્યા પણ છે જ્યાં પૂજારી બેસે છે. વરસાદ દરમિયાન મંદિરની છત લીક થવા લાગી હતી અને તે જગ્યાએ વરસાદનું પાણી જમા થઈ ગયું હતું.
પૂજારીએ એમ પણ કહ્યું છે કે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટે પણ ધ્યાન આપવું જોઈએ કે મંદિરોમાંથી પાણી કેમ ટપકતું હોય છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. રામ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ આ મામલો વધુ જોર પકડી રહ્યો છે.
पहली ही बारिश में चूने लगा है मंदिर, जिम्मेदार कौन , मोदी के उद्घाटन की हड़बड़ी या फिर भ्रष्टाचार ?
— Jagdish Jha (@jagdishjguddu) June 24, 2024
अयोध्या राम मंदिर के मुख्य पुजारी सत्येंद्र दास जी ने कहा– जो भी मंदिर बन गए हैं जहां राम लला विराजमान हैं पहली ही बारिश में पानी चूने लगा है। अंदर पानी भर गया है। बारिश का पानी… pic.twitter.com/ebVM4lQ6sV
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
