રામ મંદિરના દાનમાં અઢળક વધારો, નાના મૂલ્યની નોટોથી અત્યાર સુધી આવ્યા આટલા કરોડ, રોજ આવી રહ્યા છે 13-14 લાખ
Ayodhya Ram Temple Donation: અયોધ્યામાં ભગવાન રામ મંદિરના ઉદ્ઘાટન બાદ ઢગલાબંધ પ્રસાદ ચઢાવવામાં આવી રહ્યો છે. ચઢાવાનો હિસાબ રાખવા માટે બેંકર્સ રામ મંદિર પરિસરમાં પહોંચી રહ્યા છે. અયોધ્યામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક ડઝન બેંકરોએ તેમની બેઠક શાખા કચેરી નહિ પરંતુ રામ મંદિર પરિસરમાં જમાવી દીધો છે.
દરરોજ સવારે આ અધિકારીઓ ભગવાન રામને દાન પેટીમાં આવતા પૈસાનો હિસાબ લેવા હાજર રહે છે. આ માટે બેંકર્સ બે શિફ્ટમાં કામ કરે છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ રામ મંદિરમાં ભક્તોની ભીડ અને દાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

ઓનલાઇન રીતે મોટી સંખ્યામાં ડોનેશન આવી રહ્યા છે. જો કે, તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. ટેમ્પલ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન દાન સિવાય, 22 જાન્યુઆરીથી નાના મૂલ્યની ચલણી નોટોમાં રોકડ દાનનો અંદાજ 4 કરોડ રૂપિયા છે. દૈનિક આંકડો 13 લાખથી 14 લાખ રૂપિયા છે.
રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંથી મોટાભાગના દાન 10, 20, 50, 100, 200 અને 500 રૂપિયામાં હોવાથી સિક્કા સહિત રોકડનો હિસાબ એક મોટી કવાયત છે. આ સમસ્યાના ઉકેલ માટે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની અયોધ્યા શાખાએ રામ મંદિર પરિસરમાં હાઈટેક કેશ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવી છે. જે રામ મંદિર ટ્રસ્ટનું ખાતું ચલાવે છે.
બેંકે મંદિર પરિસરમાં ચાર ઓટોમેટિક કાઉન્ટીંગ મશીન લગાવ્યા છે. આ મશીનોમાં રોકડ દાખલ કરવામાં આવે છે અને મશીનો વિવિધ મૂલ્યવર્ગની નોટોને સૉર્ટ કરે છે અને તેને બંડલમાં પેક કરે છે. મંદિર ટ્રસ્ટને આશા છે કે રામ નવમીના તહેવાર દરમિયાન ભક્તોની સંખ્યા અને દાનમાં વધારો થશે, જ્યારે અયોધ્યામાં લગભગ 50 લાખ ભક્તો હાજર રહેશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
