નરેન્દ્ર મોદીના આ ટોપ 10 ડાયલોગ સાંભળીને તમારી છાતી થઇ જશે '56 ઇંચ'ની
ગાંધીનગર: ગુજરાત ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 64મા જન્મદિવસના જશ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વાર ગુજરાત આવી રહ્યાં છે અને 16-17 સપ્ટેમ્બરના રોજ પોતાના ગૃહ રાજ્યમાં રહેશે. સંયોગથી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ અમદાવાદ પહોંચી રહ્યાં છે.
વડાપ્રધાનના અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દર વર્ષની માફક આ વખતે પણ જન્મદિવસના અવસર પર ગાંધીનગરમાં પોતાના ભાઇ પંકજના ઘરે જશે અને માં હીરાબેન પાસેથી આર્શીવાદ લેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વખતે નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિની સાથે પોતાનો જન્મદિવસ ઉજવશે.
જિનપિંગની ગુજરાત યાત્રા દરમિયાન રાજ્ય સરકાર અને ચીનની વચ્ચે સાણંદમાં 10 વર્ગ કિલોમીટર ક્ષેત્રનો ઇંડસ્ટ્રિયલ પાર્ક વિકસિત કરવાનો કરાર થશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે આધુનિક શહેરની બધી સુવિધાઓથી યુક્ત આ ઇંડસ્ટ્રિયલ પાર્કમાં 1 અરબ ડોલરના રોકાણની સંભાવના છે. ત્યારે આજે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ટોપ ટેન ડાયલોગ રજૂ કરી રહ્યાં છે.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
1. મને દેશ માટે મરવાની તક ન મળી, પરંતુ મને દેશ માટે જીવવાની તક મળી છે.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
2. હું લોકોની આશાઓ પર ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ, હું લોકોને મારો રિપોર્ટ કાર્ડ 2019માં રજૂ કરીશ.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
3. હું ખૂબ જ આશાવાદી વ્યક્તિ છું અને એક આશાવાદી વ્યક્તિ જ દેશમાં આશાવાદ લાવી શકે છે.- ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર ભાજપની સંસદીય દળની બેઠક બોલતાં નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
4. તમારા સપના મારા સપના છે. 40 વર્ષ સુધી એક પરિવારે ત્રણ પેઢીઓના સપના બરબાદ કર્યા. હું સુનિશ્વિત કરીશ કે તમારા સપના પુરા થાય. અમેઠીની રેલીમાં.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
5. અમે અહીં (સત્તામાં) પોજિશન મેળવવા માટે આવ્યા નથી, જવાબદારી લેવા માટે આવ્યા છીએ- ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં બોલતાં નરેન્દ્ર મોદી.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
6. મારા માટે ધર્મ કામ પ્રત્યે નિષ્ઠા છે અને નિષ્ઠાપૂર્વક કામ કરવું ધાર્મિક હોવું જોઇએ.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
7. તે પાર્ટીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, અમે દેશ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. અહીં અમારામાં મૂળ અંતર છે.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
8. આ મહત્વપૂર્ણ છે કે અમે આપણા દેશના યુવાને કયા દ્રષ્ટિકોણથી જોઇએ છીએ. તેમને માત્ર નાની ઉંમરના મતદારના રૂપમાં જોવા એક મોટી ભૂલ છે, તે નવી ઉંમરની શક્તિઓ છે.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
9. કેન્દ્ર સરકારની આતંકવાદનો સામનો કરવાની કોઇ ઇચ્છા નથી. આ સમયની માંગ છે કે આતંકવાદ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે, જેમ કે અમેરિકાએ 9/11 બાદ કર્યું અને ત્યારથી આતંકવાદી તે દેશ તરફ જોવાની હિંમત કરી શક્ય નથી.
નરેન્દ્ર મોદીના ટોપ 10 ડાયલોગ
10. જ્યારે કોઇ બીજો ઓછા રન બનાવીને આઉટ થઇ જાય છે તો લોકો એટલા દુખી થતા નથી, પરંતુ સચિન તેંડુલકર જો 10 રન પણ આઉટ થાય છે તેમછતાં તેમની ટીકા થાય છે કારણ કે લોકો તેમનું આંકલન એક અલગ સ્તર પર કરે છે. હું ખુશ છું કે મને પણ આશાઓના માપદંડે આંકવામાં આવ્યો છે, ના કે યશ અને અપયશના ધોરણે.