બાબા રામદેવનો નરેન્દ્ર મોદી અંગે યુ-ટર્ન, મોટી વાત કહી
છેલ્લા કેટલાક દિવસોથી બાબા રામદેવના તેવર બદલાયેલા હતા, તેઓ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે સતર્ક નિવેદનો આપી રહ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી બાબા રામદેવના તેવર બદલાયેલા હતા, તેઓ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી માટે સતર્ક નિવેદનો આપી રહ્યા હતા. પરંતુ હવે ફરી એકવાર બાબા રામદેવે નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવાની અપીલ કરી છે. જયપુરમાં બાબા રામદેવે કહ્યું કે આ ચૂંટણીમાં લોકોએ ભાજપને મત આપવો જોઈએ. બાબા રામદેવ જયપુરમાં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરના નોમિનેશન દરમિયાન પહોંચ્યા હતા.

ખરેખર થોડા મહિના પહેલા બાબા રામદેવે કહ્યું હતું કે દેશનો આવનારો પ્રધાનમંત્રી કોણ બનશે તેના વિશે કઈ નહીં કહી શકાય. બાબા રામદેવનું આ નિવેદન પીએમ મોદી વિરુદ્ધનું માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે ફરી એકવાર બાબા રામદેવે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાની અપીલ કરી છે. તેમને કહ્યું કે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થા બનાવવા માટે મોદીને મજબૂત કરવા પડશે, દેશ તેમના હાથોમાં સુરક્ષિત છે.
આ પણ વાંચો: કેવી રીતે શરૂ કરશો પતંજલિ પરિધાનનો બિઝનેસ, અરજીની શું છે પ્રક્રિયા?
બાબા રામદેવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી એકમાત્ર એવા નેતા છે, જે દેશને સુરક્ષિત રાખી શકે છે. ભારત માતાને નરેન્દ્ર મોદી પર ગર્વ છે. આ દરમિયાન તેમને કોંગ્રેસની ન્યાય યોજના પર જોરદાર પ્રહાર કર્યા. તેમને કહ્યું કે દેશની જનતા કોંગ્રેસને સજા આપશે, દરેક બૂથ પર ન્યાયની જરૂર છે. કોંગ્રેસ વિરુદ્ધ આ જનતા ન્યાય કરશે, દેશની જનતા હવે ન્યાય કરશે. આપને જણાવી દઈએ કે 23 મેં દરમિયાન લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો: બાબા રામદેવ બોલ્યા, મારી જેમ કુંવારા લોકોને વિશેષ સમ્માન આપો
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
