For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબરી ધ્વંસ: આડવાણી, ઉમા સહિત 18 લોકો સામે આજે સુનવણી

By Super
|
Google Oneindia Gujarati News

lal krishna advani
નવી દિલ્હી, 5 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. કારણકે સુપ્રિમ કોર્ટમાં આજે બાબરી મસ્જીદ ધ્વંસ સાથે જોડાયેલા મામલાઓની સુનવણી થશે.

આજે સીબીઆઇની એ અરજી પર સુનવણી થશે, જેમાં આડવાણીની સાથે મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને 18 અન્ય લોકોની સામે ફરીથી આરોપ લગાવવાની માંગ કરમાં આવી હતી.

સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આ નિર્ણયને પડકાર આપ્યો છે. જેમાં હાઇકોર્ટે આડવાણી પર કાવતરૂ રચવાનો આરોપ હટાવવાની વાત કરી હતી. સાથે સાથે સીબીઆઇને કોર્ટમાં આ મામલે મોડેથી અપીલ કરવા માટે પણ જવાબ આપવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ આડવાણી અને વિહિપ કાર્યકરો બાબરી મસ્જીદના સ્થાને રામ મંદિર બનાવવા માટે તેને તોડી પાડવા માટે દેશના નાગરિકોને 6 ડિસેમ્બર 1992ના રોજ આહ્વાન કર્યું હતું. જ્યાં આડવાણી આગમનથી ટોળું તોફાની બન્યું હતું, અને મસ્જિદનો પ્રથમ ગુંબજ તૂટ્યો, બાદમાં બીજો ગુંબજ તૂટ્યો. ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા એકબીજાને ગળે મળ્યાં. બાદમાં ત્રીજો ગુંબજ પણ તોડી પાડવામાં આવ્યો હતો. જેના પગલે દેશમાં રમખાણો ફાટી નિકળ્યા હતા જેમાં 2000 લોકોના મોત થયા હતા.

English summary
Babri Masjid case, Murli Manohar Joshi accuses CBI of conspiracy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X