બાબરી ધ્વંસ: આડવાણી, ઉમા સહિત 18 લોકો સામે આજે સુનવણી
આજે સીબીઆઇની એ અરજી પર સુનવણી થશે, જેમાં આડવાણીની સાથે મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને 18 અન્ય લોકોની સામે ફરીથી આરોપ લગાવવાની માંગ કરમાં આવી હતી.
સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના આ નિર્ણયને પડકાર આપ્યો છે. જેમાં હાઇકોર્ટે આડવાણી પર કાવતરૂ રચવાનો આરોપ હટાવવાની વાત કરી હતી. સાથે સાથે સીબીઆઇને કોર્ટમાં આ મામલે મોડેથી અપીલ કરવા માટે પણ જવાબ આપવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના લાલકૃષ્ણ આડવાણી અને વિહિપ કાર્યકરો બાબરી મસ્જીદના સ્થાને રામ મંદિર બનાવવા માટે તેને તોડી પાડવા માટે દેશના નાગરિકોને 6 ડિસેમ્બર 1992ના રોજ આહ્વાન કર્યું હતું. જ્યાં આડવાણી આગમનથી ટોળું તોફાની બન્યું હતું, અને મસ્જિદનો પ્રથમ ગુંબજ તૂટ્યો, બાદમાં બીજો ગુંબજ તૂટ્યો. ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા એકબીજાને ગળે મળ્યાં. બાદમાં ત્રીજો ગુંબજ પણ તોડી પાડવામાં આવ્યો હતો. જેના પગલે દેશમાં રમખાણો ફાટી નિકળ્યા હતા જેમાં 2000 લોકોના મોત થયા હતા.