શિવસેના બાલા સાહેબ હશે શિંદેના નવા પક્ષનુ નામ, બાગી ધારાસભ્ય દિપક કેસરકરે કર્યું કન્ફર્મ
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન શિવસેનાના બળવાખોર મંત્રી અને નેતા એકનાથ શિંદેએ નવી પાર્ટી બનાવી છે. જેની જાહેરાત તેઓ (એકનાથ શિંદે) આજે સાંજ સુધીમાં ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કરી શકે
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન શિવસેનાના બળવાખોર મંત્રી અને નેતા એકનાથ શિંદેએ નવી પાર્ટી બનાવી છે. જેની જાહેરાત તેઓ (એકનાથ શિંદે) આજે સાંજ સુધીમાં ગુવાહાટીની રેડિસન બ્લુ હોટેલમાં કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યોની બેઠક બાદ નવી પાર્ટીનું નામ પણ નક્કી કર્યું છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે આ વાતની પુષ્ટિ કરી છે.

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે જણાવ્યું કે, એકનાથ શિંદે કેમ્પ દ્વારા 'શિવસેના બાલા સાહેબ' નામની નવી પાર્ટીની રચના કરવામાં આવી છે.
एकनाथ शिंदे खेमे द्वारा 'शिवसेना बालासाहेब' नया समूह गठित किया गया: ANI से पूर्व गृह राज्य मंत्री और बागी विधायक दीपक केसरकर
— ANI_HindiNews (@AHindinews) June 25, 2022
(फाइल फोटो) pic.twitter.com/4hk7ZfBsaA












Click it and Unblock the Notifications
