Sheikh Hasina: શેખ હસીના ક્યાં છે? તેમના વિના જ રવાના થયુ વિમાન, જાણો ભારતમાં રહેવા સાથે જોડાયેલ વિગતો
Sheikh Hasina: બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે વડા પ્રધાન શેખ હસીનાને રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી હતી. હસીના ભારતમાં ઉતર્યા બાદ થોડા સમય પછી લંડન જવા રવાના થવાનુ હતુ. પ્રાપ્ત માહિતી અનુસાર યુકે દ્વારા રાજકીય મદદ નકાર્યા બાદ શેખ હસીના હાલમાં ભારતમાં છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ એરફોર્સના C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે મંગળવારે ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યે હિંડન એરફોર્સ બેઝથી તેના આગલા ગંતવ્ય તરફ ઉડાન ભરી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓ વિમાનની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના આજે હિંડન એર બેઝ પરથી ઉપડેલા C-130J ટ્રાન્સપોર્ટ પ્લેનમાં સવાર નથી. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સાત સૈન્ય કર્મચારીઓ છે અને તે બાંગ્લાદેશમાં તેના બેઝ માટે રવાના થયું છે.
અહેવાલો અનુસાર, ઢાકાથી ભાગ્યાના કલાકો પછી, શેખ હસીના ભારતના ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. કથિત રીતે તેમને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે હજુ પણ એ જ સુરક્ષિત જગ્યાએ છે.
શેખ હસીના લંડન જશે અને રાજકીય આશ્રય લેશે તેવી અપેક્ષા છે. કેટલાક અહેવાલો જણાવે છે કે તે આશ્રય અંગે યુનાઇટેડ કિંગડમ સત્તાવાળાઓના સંપર્કમાં હતા. તેમના ભારતમાં રોકાણ અને બાંગ્લાદેશની સ્થિતિએ પણ ભારતીય સુરક્ષા તંત્રમાં હલચલ મચાવી દીધી હતી. સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.
રાજીનામું આપ્યા બાદ શેખ હસીના સોમવારે સાંજે ભારત પહોંચી ગયા હતા. તે હજુ પણ અનિશ્ચિત છે કે તે દિલ્હીમાં રહેશે કે પછી અન્ય જગ્યાએ જશે. વધી રહેલા વિરોધ વચ્ચે તેમના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંસદમાં સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી અને નેતાઓને બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિકાસ વિશે માહિતી આપી. તેમણે વિગતવાર સમજાવ્યું કે પરિસ્થિતિ કેવી રીતે વિકસિત થઈ અને શેખ હસીનાની ભારત મુલાકાત અંગે ચર્ચા કરી.
જયશંકરે ખાતરી આપી હતી કે ભારત શેખ હસીનાનું ધ્યાન રાખશે અને તેમને ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે સમય આપશે. "આજે સંસદમાં સર્વપક્ષીય બેઠકમાં બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિકાસ વિશે માહિતગાર કર્યા. સર્વસંમત સમર્થન અને સમજણની પ્રશંસા કરુ છુ તેમ તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું.
બેઠક દરમિયાન જયશંકરે નેતાઓને કહ્યું કે કેન્દ્ર સરકાર પણ બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વર્તમાન પરિસ્થિતિ છે અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવશે.
નેતાઓને બાંગ્લાદેશમાં 20,000 ભારતીય નાગરિકોની હાજરી વિશે માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 8,000 લોકો ભારત પરત ફર્યા છે. જયશંકરે કહ્યું કે ભારત સરકાર આ નાગરિકોના સંપર્કમાં છે અને હાઈ કમિશન ત્યાં પોતાનું કામ ચાલુ રાખી રહ્યું છે.
આ અસ્થિર રાજકીય પરિસ્થિતિ દરમિયાન લઘુમતીઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિરોધ, મુખ્યત્વે સરકારી નોકરીઓ માટે ક્વોટા પ્રણાલીને નાબૂદ કરવાની માંગ કરતા વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ, વ્યાપક સરકાર વિરોધી પ્રદર્શનોમાં ફેરવાઈ ગયો છે.
Bangladesh Prime Minister Sheikh Hasina is not on board the C-130 J transport aircraft that took off today from the Hindon air base around 9 AM. The Bangladesh Air Force C-130J transport aircraft is flying with 7 military personnel in it towards its base in Bangladesh: Sources https://t.co/vbvlmibXOj pic.twitter.com/YYAzMC3PQe
— ANI (@ANI) August 6, 2024












Click it and Unblock the Notifications
