કરી લો કેશની વ્યવસ્થા કારણકે શનિવારથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે બેંક
જો તમારે બેંક સંબંધિત કોઈ પણ નાનુ મોટુ કામ હોય તો તેને 27 એપ્રિલ (શુક્રવાર) સુધી પતાવી દો કારણકે એપ્રિલના છેલ્લા દિવસોમાં બેંક બંધ રહેશે.
જો તમારે બેંક સંબંધિત કોઈ પણ નાનુ મોટુ કામ હોય તો તેને 27 એપ્રિલ (શુક્રવાર) સુધી પતાવી દો કારણકે એપ્રિલના છેલ્લા દિવસોમાં બેંક બંધ રહેશે. હા, 28, 29 અને 30 એપ્રિલે બેંક બંધ છે અને પછી 1 મે થી કામકાજ સામાન્ય થઈ જશે. 3 દિવસ બાદ બેંક ખુલશે ત્યારે ભીડ થવાની સંભવના છે. આની અસર એટીએમ સેવાઓ પર પડશે. જેના લીધે લોકોને ફરી એકવાર કેશની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. થોડા દિવસ પહેલા લગભગ 8 રાજ્યો દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, બિહાર, તેલંગાના, ઝારખંડ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેશનું સંકટ રહ્યું હતુ. એટીએમમાં કેશ ન હોવાની ફરિયાદો મળી હતી.

3 દિવસ બેંક બંધ રહેવાનું કારણ
28 એપ્રિલે મહિનાનો ચોથો શનિવાર છે માટે બેંકોમાં રજા રહેશે. તમને જણાવી દઈએ કે મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ હોય છે. આ વ્યવસ્થા સપ્ટેમ્બર 2015 થી લાગૂ છે. બેંક કર્મચારીઓની માંગ પૂરી કરીને સરકારે આ વ્યવસ્થા લાગૂ કરી હતી. 29 એપ્રિલે સાપ્તાહિક રજાના કારણે બેંક બંધ રહેશે અને 30 એપ્રિલે સરકારે બુદ્ધપૂર્ણિમાને રજા આપી છે. તેમને જણાવી દઈએ કે આ પહેલા માર્ચના અંતિમ દિવસોમાં અને એપ્રિલની શરુઆતમાં પણ બેંક ચાર દિવસ માટે બંધ હતી.

થઈ શકે છે કેશની અછત
બેંકો ત્રણ દિવસ બંધ રહેવાને કારણે કેશની અછત સર્જાઈ શકે છે. છેલ્લા ઘણા દિવસોથી દેશભરના ઘણા ભાગોમાં એટીએમથી લઈને બેંક બ્રાંચો સુધી કેશની અછતને કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જો કે, સ્ટેટ બેંકના સ્થાનિક કાર્યાલયમાંથી મળેલી સૂચના અનુસાર સતત ત્રણ દિવસ સુધી બેંક બંધ રહેવા છતાં એટીએમમાં કેશની અછત નહિ સર્જાય કારણકે મોટાભાગના એટીએમમાં કેશ રાખવા માટે થર્ડ પાર્ટીની સેવાઓ લેવામાં આવે છે. આ ઉપરાંત બ્રાંચ એટીએમમાં પણ પૈસા ભરી દેવામાં આવશે જેથી તકલીફ ન પડે.

કેશની અછત પર શું કહેવું હતુ નાણા મંત્રાલયનું
નાણા મંત્રાલય અનુસાર દેશમાં દર મહિને લગભગ 20 હજાર કરોડ રુપિયા કેશની માંગ હોય છે. એપ્રિલની શરુઆતના બે સપ્તાહમાં માંગ વધીને 40 હજાર કરોડ રુપિયાથી 45 હજાર કરોડ રુપિયા વચ્ચે થઈ ગઈ, જેના કારણે કેશની અછત થઈ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
