કોરોનાના કહેર વચ્ચે આજે મુંબઈમાં ખુલશે સલૂન, આ દિશા-નિર્દશોનુ કરવુ પડશે પાલન
મહારાષ્ટ્રમાં પણ આજે સલૂન, પાર્લર અને સ્પા ખુલી રહ્યા છે. રાજ્ય સરકારે આની અનુમતિ અમુક દિશા-નિર્દેશો સાથે આપી દીધી છે.
કોરોના વાયરસના ફેલાતા સંક્રમણના રોકવા માટે આખા દેશમાં સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન કરવાનો આદેશ જારી છે. આ ક્રમમાં દેશભરમાં બધા પાર્લર અને સલૂન બંધ કરી દેવામાં આવ્યા હતા. આની પાછળનુ મુખ્ય કારણ હતુ લોકો એકબીજાના સંપર્કમાં ન આવે પરંતુ હવે અનલૉકના દોરમાં ક્યાંક-ક્યાંક સલૂન અને સ્પા ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે પરંતુ કડક નિયમ અને કાયદાની સીમામાં. આ કડીમાં મહારાષ્ટ્રમાં પણ આજે સલૂન, પાર્લર અને સ્પા ખુલી રહ્યા છે. રાજ્ય સરકારે આની અનુમતિ અમુક દિશા-નિર્દેશો સાથે આપી દીધી છે.

આ છે દિશા નિર્દેશ
- સલૂનની અંદર પ્રવેશ કરતા પહેલા સેનિટાઈઝ કરવામાં આવશે.
- ગ્રાહકે સોશિયલ ડિસ્ટંસીંગ જાળવીને ટેમ્પરેચર ચેક કર્યા બાદ સીટ પર બેસાડવામાં આવશે.
- પહેલા જ્યાં 6 સીટો હતી ત્યાં હવે 3 સીટોને હટાવી દેવામાં આવી છે.
- માત્ર 3 સીટો પર ગ્રાહકોને સેવા આપવામાં આવશે.
- જે એમ્પ્લોય સર્વિસ આપશે તે ઉપરથી નીચ સુધી ખુદને સુરક્ષાની વ્યવસ્થાથી ઢાંકેલો રાખશે.
- સાથે જ ગ્રાહક માટે સેવા આપતી વખતે જે કિટનો ઉપયોગ કરવામાં આવશે તેમાં ટૉવલ, નેપકિન વગેરેને એક વાર સેવા આપ્યા બાદ ફેંકી દેવામાં આવશે. તેનો ફરીથી ઉપયોગ નહિ કરવામાં આવે.
- દરેક ગ્રાહક માટે અલગ કિટ બનાવવામાં આવી છે. જ્યારે ગ્રાહક જાય પછી ફરીથી સીટને સાફ કરવામાં આવશે.
|
સલૂન ખોલવાના સમાચારથી જિમ માલિકોને રાહત
સલૂન ખોલવાના સમાચાર સાંભળીને જિમ માલિકોને પણ થોડી આશા જાગી છે કે કદાચ તેમને પણ પોતાનો રોજગાર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. કોરોનાના કહેરથી રોજી રોજગાર પર ઘણી અસર થઈ છે અને સ્થિતિ ક્યાં સુધી સાાન્ય થશે તે હાલમાં સવાલ છે.

શું છે મહારાષ્ટ્રમાં કોરોના અપડેટ
મહરાષ્ટ્રમાં કોરોના વાયરસના એક દિવસમાં રેકોર્ડ 5318 નવા કેસ સામે આવા સાથે સંક્રમિતોની સંખ્યા વધીને 1,59,133 થઈ ગઈ છે. જ્યારે મોતના 167 નવા કેસ સામે આવવા સાથે રાજ્યમાં મહામારીથી જીવ ગુમાવનારનો આંકડો વધીને 7,273 થઈ ગયો. મહારાષ્ટ્રના એક આરોગ્ય અધિકારીએ કહ્યુ કે એક દિવસમાં સર્વાધિક કેસ આ પહેલા શુક્રવારે સામે આવ્યા હતા જ્યારે 5024 સક્રમિત દર્દીઓ મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 4430 લોકોના સ્વસથ થયા બાદ રજા આપી દેવામાં આવી જેનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા 84,245 થઈ ગઈ છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
