બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસઃ શહજાદ દોષી જાહેર
નવી દિલ્હી, 25 જુલાઇઃ ચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર મામલામાં ઇન્ડિયન મુજાહિદ્દીનના એકમાત્ર સંદિગ્ધ આતંકવાદી શહજાદ અહમદને દિલ્હીની સાકેત કોર્ટે દોષી જાહેર કર્યો છે. કોર્ટમાં શહજાદને પોલીસ નિરીક્ષક એમસી શર્માની હત્યાનો દોષી ગણવામાં આવ્યો છે. શહજાદ અહમદ પર આરોપ છે કે, તે પણ ફ્લેટમાં હાજર અન્ય હુમલાખોરોમાં સામેલ હતો, જેણે 19 સપ્ટેમ્બર 2008ના રોજ પોલીસ દળ પર ગોળીબાર થયો હતો.
અહમદના
વકીલે
દાવો
કર્યોહતો
કે
દિલ્હી
પોલીસની
સ્પેશિયલ
સેલના
અધિકારીઓ
અને
ઇન્ડિયન
મુજાહિદ્દીનના
આતંકવાદીઓ
વચ્ચે
કથિત
ઘર્ષણ
દરમિયાન
અહમદ
ફ્લેટમાં
હાજર
નહોતો.
શહજાદ અહમદ અને જુનૈદ પોલીસ પર ગોળીબાર કર્યા બાદ ફ્લેટની બારીમાંથી કૂદીને ભાગી ગયા હતા. બાટલા હાઉસ એન્કાઉન્ટર ત્યારે વિવાદોમાં આવ્યો હતો, જ્યારે નેતા દિગ્વિજય સિંહે તેને નકલી ઘર્ષણ ગણાવ્યું હતું, પરંતુ ત્યારે તત્કાલિન ગૃહમંત્રી પી ચિંદમબરમે તેમની વાતને ખારીજ કરતા આ ઘર્ષણને સાચી ગણાવી હતી.