અફઝલને ફાંસી ના આપવી જોઇએ: બેની પ્રસાદ

તેમણે જણાવ્યું કે અફજલ ગુરૂને ફાંસી આપવાની જરૂરત નથી, પરંતુ તેને આજીવન કેદની સજા ફટકારવી જોઇએ. બેની પ્રસાદે એ પણ જણાવ્યું કે બીજેપી સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી રહ્યું છે.
શિવસેનાએ તેમના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે જો અફજલને ફાંસી ના આપીએ તો શું બેની પ્રસાદને ફાંસીએ લટકાવી લઇએ. સંજય રાઉતે જણાવ્યુ કે કોંગ્રેસની નજર લઘુમતિ વોટબેંક પર છે માટે કોંગ્રેસના નેતા આવું નિવેદન કરી રહ્યા છે.
બીજેપી નેતા સુષમા સ્વરાજે જણાવ્યું કે કસાબની જેમ અફઝલ ગુરુને પણ તેના અંજામ સુધી પહોંચાડવામાં આવે, ત્યારે જ સંસદ હુમલાના શહીદોને સાચી શ્રદ્ધાંજલિ મળશે. બીજી તરફ એનસીપી નેતા અને કેન્દ્રીય મંત્રી તારિક અનવરે બેની પ્રસાદ વર્માના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બેની પ્રસાદનું વ્યક્તિગત મંતવ્ય હોઇ શકે છે પરંતુ તેમનું નિવેદન સરકારની માન્યતા નથી.












Click it and Unblock the Notifications
