Bhabanipur assembly bypoll : ભવાનીપૂર બેઠક પર મમતાએ 58,832 મતથી મેળવી મોટી જીત
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ 3 ઓક્ટોબરના રોજ ભવાનીપુર માટે દક્ષિણ કોલકાતા મતવિસ્તારની મહત્ત્વની પેટા ચૂંટણી જીતી લીધી છે, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનવા માટે તેમને જીતવી ખુબ જ અનિવાર્ય હતી.
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ 3 ઓક્ટોબરના રોજ ભવાનીપુર માટે દક્ષિણ કોલકાતા મતવિસ્તારની મહત્ત્વની પેટા ચૂંટણી જીતી લીધી છે, જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બનવા માટે તેમને જીતવી ખુબ જ અનિવાર્ય હતી. મમતા બેનર્જીએ તેમના મુખ્ય હરીફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલને અંતિમ 21 રાઉન્ડની મતગણતરી બાદ 58,832 મતોના રેકોર્ડ માર્જિનથી હરાવ્યા છે.
આ સાથે પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લાની અન્ય બે પેટા ચૂંટણીમાં TMCના ઉમેદવાર જાકીર હુસેન જંગીપુરમાં, જ્યારે TMCના અમીરૂલ ઇસ્લામ સંસેરગંજ બેઠક પર જંગી મતોથી આગળ છે.
મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામથી તેના ભૂતપૂર્વ સહાયક સુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતા, જેના પરિણામો મે મહિનામાં જાહેર થયા હતા. આ ટર્મમાં મુખ્યમંત્રી તરીકેના પ્રથમ છ મહિના પૂરા થયા પહેલા રાજ્ય વિધાનસભામાં પ્રવેશ મેળવવા માટે આ જીત જરૂરી હતી.
નિયમો અનુસાર 5 મે ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા બેનર્જીએ 5 નવેમ્બર પહેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે ચૂંટવું પડે છે. રાજ્ય મંત્રી સોભંડેબ ચટ્ટોપાધ્યાય, જેમણે ભવાનીપુરથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી, મે મહિનામાં પરિણામ જાહેર થયાના થોડા સમય બાદ તેમને તે સીટ ખાલી કરી દીધી હતી, જેથી પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો અને બેનર્જી પેટા ચૂંટણી લડી શકે.
મુર્શિદાબાદ જિલ્લાના જંગીપુર અને સમસેરગંજમાં ઉમેદવારનાં મૃત્યુ બાદ મતદાનનો વિરોધ કરવામાં આવ્યો હતો. બંગાળના અન્ય બે મતવિસ્તારો સાથે ભવાનીપુર વિધાનસભા બેઠક માટે મતગણતરી 3 ઓક્ટોબરની સવારે શરૂ થઈ હતી. મમતા બેનર્જીના કોલકાતા નિવાસસ્થાનની બહાર TMC સમર્થકો એકઠા થયા છે.
30 સપ્ટેમ્બરના રોજ ભવાનીપુરમાં 53.32 ટકા મતદાન થયું હતું. જો કે, રાજ્યની અન્ય બે વિધાનસભા બેઠકોએ વધુ મતદાન નોંધાવ્યું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ સમસેરગંજમાં 78.60 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સાંજે 5 વાગ્યા સુધી જંગીપુર 76.12 ટકા મતદાન થયું હતું.