લુધિયાણામાં ભગવંત માને વિશ્વકર્મા દિવસ નિમિતે લોકોને આપી શુભકામનાઓ- પંજાબીઓને જલ્દી મળશે ગૂડ ન્યુઝ
વિશ્વકર્મા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભગવંત માન લુધિયાણા પહોંચ્યા હતા. લુધિયાણામાં રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને સૌને વિશ્વકર્મા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્
વિશ્વકર્મા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભગવંત માન લુધિયાણા પહોંચ્યા હતા. લુધિયાણામાં રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માને સૌને વિશ્વકર્મા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે પંજાબમાં કૌશલ્ય વિકાસની જરૂર છે. પંજાબમાં કારકિર્દી માર્ગદર્શનની અછત છે જેને ભરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે બાળકોએ એવું કામ શીખવું જોઈએ જેથી કરીને તેઓ રોજગારી પેદા કરી શકે અને તેમની પાસે રોજગાર ન માગે. રાજ્યમાં રોજગારીની તકો ઉભી કરવામાં આવશે જેથી એકપણ યુવક બેરોજગાર ન બને. લોકોને સંબોધતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે દેશનું વાતાવરણ ચિંતાજનક છે અને અહીં નફરત ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સૌને સાથે લઈને પ્રગતિના પંથે ચાલવું જોઈએ, કોઈને પડતું મૂકીને આગળ વધવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
આ દરમિયાન તેમણે હોશિયારપુરના પૂર્વ ધારાસભ્ય સુંદર શામ અરોરા પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારીઓ દ્વારા જનતાને લૂંટીને, નોટ ગણવાના મશીનો ઘરમાં રાખવામાં આવ્યા છે. જનતાના પૈસા ટેક્સના રૂપમાં લઈને તેમને પરત કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ પંજાબીઓ માટે ઘણા મોટા પગલા લીધા છે અને આગામી દિવસોમાં પણ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
