ભગવંત માને કૈરોલિના રોવેટને તેમના પુસ્તકના વિમોચન પર શુભેચ્છા પાઠવી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢની બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ચંદીગઢ શ્રીમતી કેરોલિના રોવેટને તેમના અવિશ્વસનીય પુસ્તક '75 ઈયર્સ, 75 વુમન, 75 વર્ડ્સ'ના વિમોચન પર હાર્દિક શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, અસાધરણ મહિલાઓ, તેમની ઉપલબ્ધીઓ અને તેમની વાર્તાઓ પ્રત્યે તમારી શ્રદ્ધાંજલિ ખરેખર ઉલ્લેખનીય છે.

આ પુસ્તક મહિલાઓની ઉપલબ્ધીઓ પર લખવામાં આવેલી છે જેમાં તેમનો સંઘર્ષથી માંડી તેમની સફળતા સુધીની વાત કહેવામાં આવી છે. ભગવંત માને આ પુસ્તક બદલ લેખકને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે કૈરોલિના રોવેટના આ પુસ્તક '75 ઈયર્સ, 75 વુમન, 75 વર્ડ્સ'થી દેશની દરેક મહિલાઓને નવી ઉમ્મીદ અને કંઈક અસાધારણ કાર્ય કરી બતાવવાની લાગણી જન્મશે. આ પુસ્તક દરેક મહિલાઓએ એક વાર વાંચવું જોઈએ.












Click it and Unblock the Notifications
