Punjab News: ભગવંત માન સરકારે આંગણવાડી સેન્ટરો માટે આટલા કરોડની રકમ કરી જાહેર
Punjab News: પંજાબ સરકારે આંગણવાડી દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આપવા માટે રૂ. 33.65 કરોડની રકમ જાહેર કરી છે. સામાજિક સુરક્ષા, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ.બલજીત કૌરે આ આંગે જણાવ્યું હતું કે, માર્કફેડ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓ માટે સામગ્રી પૂરી પાડવામાં આવે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં પૂરક પોષણ કાર્યક્રમ યોજના હેઠળ માર્કફેડ દ્વારા કરવામાં આવેલ પુરવઠો અત્યાર સુધીમાં ચૂકવવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે સંબંધિત જિલ્લા કાર્યક્રમ અધિકારીઓને સરકારી નિયમો મુજબ રકમનો ઉપયોગ કરવા સૂચના આપી છે.

ડૉ. કૌરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની આગેવાની હેઠળની સરકાર રાજ્યના લોકોના કલ્યાણ માટે સતત પ્રયાસો કરી રહી છે અને બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ભગવંત સિંહ સરકાર કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે.
ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે અમૃતસર જિલ્લાને રૂ. 4.17 કરોડ, બરનાલાને રૂ. 65.94 લાખ, ભટિંડાને રૂ.2.28 કરોડ, ફરીદકોટને રૂ. 40.22 લાખ, ફાઝિલકાને રૂ. 4.35 કરોડ (કુકિંગ કોસ્ટ) રૂ. 5.99 લાખ, ફિરોઝપુરને રૂ. રૂ. 4 કરોડ અને રૂ. 4.69 લાખ., ગુરદાસપુરને રૂ. 1.56 કરોડ, હોશિયારપુરને રૂ. 5 કરોડ, જાલંધરને રૂ. 2.51 કરોડ, લુધિયાણાને રૂ. 97.48 લાખ, માનસાને રૂ. 97.33 લાખ, મોગાને રૂ. 50 લાખ, રોપર માટે રૂ. 92 લાખ, સંગરુર માટે 3.07 કરોડ, કપૂરથલા માટે 2.14 કરોડ રુપિયા જાહેર કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
